________________
ગ્રંથ અને ગ્રંથકાર
ખરું કહીએ તો આપણે અહિં જેને વિજ્ઞાનની રસવૃત્તિ-કે વિજ્ઞાન પ્રતિ પક્ષપાત bias કહીએ એવું બહુ ડું નજરે પડશે.
દાખલા તરીકે, સોસાઈટી તરફથી સન ૧૯૨૫ માં વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર–જેવા કે, ખેતીવાડી ભૂસ્તરવિદ્યા, પ્રાણવિદ્યા (biology), વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર પર પુસ્તક લખી આપવા જાહેરાત અપાઈ હતી; પરંતુ બીજી બધી શાખાઓ જેવી કે, સાહિત્ય, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, જીવનચરિત્ર વગેરેમાં ભાષાંતર માટે લગભગ સે લેખકોએ માગણી કરી હશે; પણ પ્રસ્તુત વિજ્ઞાનના વિષય પર લક્ષમાં લેવાય એવી એક પણ જુદી અરજી મળી નહોતી; એ ઉપરના અનુમાનનું સમર્થન કરે છે. સામાન્ય નીતિ અને જ્ઞાન વિભાગમાં બેધપ્રદ, નીતિષક, સામાન્ય
જ્ઞાન અને માહિતી આપનારાં બધી જાતનાં પુસ્તકોને સામાન્ય જ્ઞાન સમાવેશ કરેલો છે; તેમાં પેટા-વિભાગ પાડી શકાય; અને નીતિ પરંતુ તે સર્વ પુસ્તકો જેવા તપાસવાની સવડના
અભાવે તેમ કરવું અનુકૂળ થયું નથી. રા. પરમાનંદ કાપડીઆએ “અંત સમયે ” એ શીર્ષક નીચે, આપણે કેટલીક અનિષ્ટ સામાજિક રૂઢિઓ પર પ્રહાર કરી તે સદંતર તજવાને ભાર મૂક્યો છે, તેને તાત્કાલિક અમલ થવાની જરૂર છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે આર્યોના સંસ્કારની નવી આવૃત્તિ છપાવી છે, એ પણ એક મહત્વનું પુસ્તક છે. જીવનસિદ્ધિ ટેલિસ્ટયના The Christean Teaching ને અનુવાદ છે, તે અનુવાદ સાથે થયા છે અને તેમાંનું લખાણ વિચારપ્રેરક અને ઉત્તેજક જણાશે. ગૃહલક્ષ્મી બંગાળી પુસ્તક પરથી અને સ્વ. ચૈતન્યબાળાના ગુજરાતી બહેને પ્રત્યે ત્રણ લેખે, સ્ત્રીધિની અને સુંદરીઓને શંગાર-ભા. ૨ એ પુસ્તકો બહેનોને ગમશે; અને સંગ્રહ ગ્રંથમાં-Common place books શુભસંગ્રહ ભા. ૪ અને ૫ અને સાદી શિખામણના મણકાઓ બોધપ્રદ અને ઉપયોગી વાચન સાહિત્ય પૂરું પાડે છે. રાજકીય વિચાર અને હિલચાલ જનતાનું હમણાં હમણાં ખૂબ ધ્યાન
ખેંચે છે પણ તેને લગતું સાહિત્ય પ્રમાણમાં જુજ છપાય રાજકીય ગ્રંથે છે; એશિયાનું કલંક-એમાં જાપાને કેરિયાને કેવી રીતે
દાબી રાખ્યું છે તેની કરૂણ કથા છેઃ નવા હિંદી રાજકીય સુધારાનો પ્રશ્ન અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યા છે, તેમાં બ્રિટિશ હિન્દ
२२