________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
ઉભું કરવામાં સફળ નિવડે છે અને તે ચિત્તને રોકાયેલું અને રંજિત-મગ્ન રાખે છે. પરંતુ એક ઐતિહાસિક નાટક તરીકે તેનું મૂલ્ય વિશેષ છે; છતાં એમની અન્ય કૃતિઓ જેવી કે, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા જેટલું સરસ તો એ નાટક નજ કહી શકાય. એમની બીજી કૃતિ કાકાની શશી ઉપરોક્ત નાટક કરતાં વધારે લોક
પ્રિય નિવડી છે; તેનું કારણ, તે નાટક સ્ટેજપર મુંબાકાકાની શશી. ઈમાં અને અન્ય સ્થળે ભજવાયું છે એ ખરું; પણ તે
વધારે આકર્ષણ અને ચર્ચાનું મુખ્ય કારણ બન્યું તે તેમાંનાં મુખ્ય પાત્ર શશી, તેના પાલક અને ઉછેરનાર સોલિસિટર મનહરલાલ જેને શશી કાકા કહીને સંબોધતી હતી તેની સાથેનું લગ્ન છે. આપણું સમાજમાં આવાં લગ્ન છેક નથી જ થતાં એમ કાંઈ નથી. એક ભત્રીજી સાથે
ક્યાં નથી પરણતે ? વા એક આશ્રિતને મોટી કરી, તેની સાથે લગ્ન કર્યાના દાખલા, જેમકે કલાપી–ભનાના પણ–મોજુદ છે; તેમ છતાં ચાલુ રૂઢિની વિરુદ્ધ હોવાથી અને શ્રીયુત મુનશી જેવા પ્રણાલિકાભંગવાદી તેના પ્રયોજક હોઈ, સમાજના અમુક વર્ગ તરફથી તેના પ્રતિ સપ્ત આક્ષેપ થતા સંભળાયેલા. પણ એ નાટકની લોકપ્રિયતા અને વાહવાહમાં તેના વિરોધી પક્ષને અવાજ ગુંગળાઈ ગયો. અહિં કહેવું જોઈએ કે તેમાં દેષો છે; તે એમની ઉત્તમ કૃતિ નથી. પણ જનસમૂહના રંજનાથ દાખલ કરવા પડેલા અંશે તેમાં વધુ પ્રમાણમાં છે; તેથી તે નાટક લોકચિને ગમ્યું છે, અને પંકાયું છે, એ નિર્વિવાદ છે.
રા. ચંદ્રશંકરે નાટકની મૂળ વસ્તુ કેવી રીતે ઉભવી હતી તેનું સૂચન “બે ઘડી મોજ'માં સદરહુ નાટક વિષે લખતાં કર્યું છે, કે મુનશીના પંચગીનીના બંગલાના માળીએ, એની પાલક આશ્રિત સાથે લગ્ન કરેલું તે પરથી એનું વસ્તુ લેવાયું છે, પરંતુ જે કઈને તેમાં અપહરણને દોષ જેવ–શોધવો જ હોય તો, જાણીતા શિયન નાટકકાર તજનિફના બેચલર” નામક નાટકની છાયા-અસર, નકલ જાણે અજાણે ઉતરી આવતી હોય એવું કંઈક ભાસે છે. એમણે શશીના લગ્નના પ્રશ્નને ત્રીજીવન, સ્ત્રીજીવનના સમાન હકક અને સ્વાતંત્ર્ય સાથે એ સાંકળી અને થી દીધો છે કે લેખક પોતે એ લગ્નગ્રંથી જેડી તેની હાંસી કરે છે કે પ્રશંસા કરે છે, એ સમજાતું નથી. આખા નાટક દરમિયાન લેખક તદ્દન તટસ્થ વૃત્તિ સાચવે છે, એ તેની ખૂબી છે.
२७