________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
1 ગુણ અધિકાર છે
ગુણ અધિકાર
હવે ગુણ-અધિકારમાં ગુણનું કથન કરીએ છીએઃ દ્રવ્ય દ્રવ્યાન પુષ્યતે તે ગુણT: વ્યતે'' અર્થાત્ એક દ્રવ્યને બીજાં દ્રવ્યોથી ભિન્ન જણાવે તેને ગુણ કહેવાય છે. ) ગુણો વડે દ્રવ્ય જુદાં જણાય છે. ચેતનગુણ વડે જીવ જણાય છે. એક “અસ્તિત્વ” ગુણ છે, (તે) સાધારણ છે. (તે અસ્તિત્વ ગુણ) મહાસત્તાની વિવક્ષાથી બધા (દ્રવ્યો) માં રહેલો છે; (અને) અવાન્તર સત્તા (ની વિવક્ષાથી) બધા (દ્રવ્ય) ને પોતપોતાનું અસ્તિત્વ છે ત્યાં સ્વરૂપ સત્તા ત્રણ પ્રકારે છે–દ્રવ્યસત્તા, ગુણસત્તા ને પર્યાયસત્તા. તેમાં “દ્રવ્ય છે” તેને દ્રવ્યસત્તા કહીએ. દ્રવ્ય (નું સ્વરૂપ) તો કહ્યું. હવે, ગુણ છે' તેને ગુણ સત્તા કહીએ ગુણો અનંત છે. સામાન્ય વિવક્ષામાં અનંત જ પ્રધાન છે, વિશેષ વિવક્ષામાં જે ગુણને પ્રધાન કરીએ તે મુખ્ય છે (ને) બીજા ગૌણ છે, તેથી મુખ્યતા-ગૌણતા ( રૂપ) ભેદ, વિધિનિષેધ (રૂપ) ભેદ જાણવા; સામાન્ય વિશેષમાં બધું સિદ્ધ થાય છે, નય વિવક્ષા (તથા) પ્રમાણ વિવક્ષા (તે) યુક્તિ છે. યુક્તિ પ્રધાન છે, યુક્તિ વડે વસ્તુ સાધીએ. ( આ સંબંધી ) “નયચક્ર' ગ્રંથમાં કહ્યું છે કે:
૧ આલાપ પદ્ધતિ પૃ. ૮૭. ૨. પ્રવચનસાર ગા. ૯૬. ૩. પ્રવચનસાર ગા. ૧૦૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com