________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શન ગુણનું સ્વરૂપ
I
/
હવે દર્શનના ભેદ કહીએ છીએઃ
જે દેખે છે તે દર્શન છે અથવા જેના વડે જીવ દેખે છે તેને દર્શન કહીએ. નિરાકાર ઉપયોગરૂપ દશિ (દર્શન) શક્તિ છે. આ સંબંધમાં જિનાગમમાં એમ કહ્યું છે કે “નિરીવારં વર્ણન, સવારે જ્ઞાન' (એટલે કે દર્શન નિરાકાર છે અને જ્ઞાન સાકાર છે અર્થાત દર્શનનો વિષય નિરાકાર છે અને જ્ઞાનનો વિષય સાકાર છે.) જો દર્શન ગુણ ન હોય તો વસ્તુ અદશ્ય થતાં સર્વ વસ્તુઓનું જ્ઞાન જ ન થાય અને એમ થતાં શેયોનો અભાવ ઠરે, માટે દર્શન પ્રધાન ગુણ છે.
“સામાન્ય વર્શન વિશેષ જ્ઞાન' [દર્શન સામાન્ય છે અને જ્ઞાન વિશેષ છે અર્થાત્ દર્શનનો વિષય સામાન્ય છે ને જ્ઞાનનો વિષય વિશેષ છે- ] એમ (આગમમાં) કહ્યું છે. કોઈ એક વક્તાએ સિદ્ધસ્તોત્ર'ની ટીકા કરી છે તેણે તથા બીજાએ પણ એમ કહ્યું છે કે સામાન્ય શબ્દનો અર્થ આત્મા કહ્યો છે, તેથી આત્માનું અવલોકન તે દર્શન છે અને સ્વ-પરનું અવલોકન તે જ્ઞાન છે. [ પરંતુ ] એમ કહેવાથી એક ગુણ જ ઠરે. [કેમ કે] જે દર્શન આત્મ-અવલોકનમાં હતું તે જ પર-અવલોકનમાં આવ્યું;
૧ જુઓ સમયસાર ગુજરાતી પૃ. ૫૦૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com