Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 137
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૧૨૦ : ચિદ્ર વિલાસ ત્માને શુદ્ધ દર્શન-જ્ઞાન હોય છે ને અંતરાત્માને એકદેશ શુદ્ધ દર્શનજ્ઞાન હોય છે. દર્શન-જ્ઞાનનો પ્રકાશ જ્ઞયને દેખું-જાણે છે; તે શક્તિ શુદ્ધ છે. તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન-જ્ઞાન આત્મા વગર હોય નહિ, એ મારો સ્વભાવ છે–એમ દર્શન-જ્ઞાનને પ્રતીતિમાં માને. ‘૩૬ મમ્મિ [ –હું છું]' એમ પોતાને દર્શન-જ્ઞાનમાં સ્થાપે, ધ્યાનમાં “મટું મિ–મિ (અર્થાત્ હું છું-હું છું.) ' એમ માને. જેમ દેહમાં અહં બુદ્ધિ ધરીને પોતાપણું માને છે તેમ દર્શન-શાનમાં “હું” પણું માનીને અહું (બુદ્ધિ) ધરે. દર્શન-જ્ઞાનમાં, ધ્યાનમાં અહંપણું માને ત્યારે અનાદિ દુઃખનું મૂળ એવું દેહાભિમાન છૂટે, સ્વરૂપમાં પોતાપણું જાણે અને જ્ઞાનસ્વરૂપ ઉપયોગ હું છું-એવી અહંબ્રહ્મબુદ્ધિ આવે ત્યારે બ્રહ્મમાં અહંબુદ્ધિ આવતાં એવું સુખ થયું કે દુઃખલોકને છોડીને અવિનાશી આનંદલોકને પામ્યો; “હું બ્રહ્મ-હું બ્રહ્મ-હું બ્રહ્મ છું” એમ વારંવાર બુદ્ધિદ્વારા પ્રતીતિ કરે ત્યારે કેટલોક કાળ ધ્યાનમાં એવો પ્રતીતિ ભાવ દઢ રહે. પછી (એ પ્રમાણે) દઢ રહેતાં રહેતાં અહંપણું (- “હું” પણું ) છૂટી જાય અને અસ્મિ” ( – “છું' –એવો ભાવ) રહે, અસ્મિ એટલે “ચૈતન્ય છું” એવો (ભાવ) રહે, ચૈતન્ય “હું” છું એવો ભાવ ( અસ્મિભાવ) રહી જાય “છું-છું” એવો ભાવ રહી જાય ત્યારે પરમાનંદ વધે અને વચનાતીત મહિમાનો લાભ થાય, તથા સ્વપદની પ્રતીતિરૂપ રહ્યા કરે-તેને અસ્મિતા-અનુગત સમાધિ કહીએ. તેનાથી અપૂર્ણ આનંદ વધે છે. અર્હઅસ્મિ (અર્થાત્ હું છું) એવો શબ્દ છે, સ્વરૂપમાં “હું છું' એવો ભાવ તે તેનો અર્થ છે. અને તે બન્ને) નું જાણપણું તે જ્ઞાન છે. એ પ્રમાણે ત્રણે ભેદ આમાં પણ લગાડવા. ૭. નિર્વિતર્ક-અનુગત સમાધિ. હવે, નિર્વિતર્ક-અનુગત સમાધિ કહીએ છીએ: Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142