________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૭ : ભેદવાળું છે; તેને નિર્વિકલ્પરૂપ દેખે છે, તેથી સામાન્ય અવલોકન થયું. ( જ્ઞાન અને દર્શન) એ બન્નેનો પ્રકાશ એક ચેતનસત્તાથી થયો છે, તે બન્નેની સત્તા એક છે-આવો તર્ક સમાધાનકારથી ભાવશ્રુતમાં થયો છે. આ ભાવકૃતનું નામ “વિતર્ક” છે. “અનુગત' કહેતાં તે (વિતર્ક) ની સાથે જ સુખ થયું તેને [ વિતર્ક અનુગત ] સમાધિ કહીએ. છાસ્થને તે (સુખ) ભાવકૃતના વિલાસથી ચૈતન્ય પ્રકાશને જાણતાં-વેદતાં-અવલોકતાં-અનુભવતાં થાય છે. જ્ઞાતાને પોતાના આનંદથી સમાધિ ઊપજે છે.
તેના ત્રણ ભેદ છે. પ્રથમ તો વિતર્ક એવો શબ્દ છે, તેનો અર્થ, શ્રુત-વિતર્કનો અર્થ છે. (અને) તે અર્થનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. શબ્દ દ્વારા અર્થ, અર્થ દ્વારા જ્ઞાન અને જ્ઞાનધારા આનંદરૂપ સમાધિ છે. એ પ્રમાણે વિતર્કસમાધિનું સ્વરૂપ કહ્યું તે જાણવું.
૪. વિચાર-અનુગત સમાધિ. હવે, વિચાર-અનુગત સમાધિ કહીએ છીએ:
શ્રુતના જુદા જુદા અર્થ વિચારવા તેને વિચાર કહીએ. શ્રુતના અર્થદ્વારા સ્વરૂપના વિચારમાં વસ્તુની સ્થિરતા-વિશ્રામ-આચરણજ્ઞાયકતા-આનંદ-વેદના-અનુભવ. નિર્વિકલ્પ સમાધિ થાય છે તે કહીએ છીએ. અર્થ કહેતાં ધ્યેય ( રૂપ) વસ્તુ-દ્રવ્ય, અથવા ગુણ અથવા પર્યાય. દ્રવ્ય-વિચાર અનેક પ્રકારે છે; ગુણપર્યાયરૂપ અથવા સત્તારૂપ અથવા ચેતનાપુંજ-એ પ્રમાણે દ્રવ્યને વિચારી પ્રતીતિમાં લીન થતાં સમાધિ થાય છે કેવળ વિચાર જ ન કરે પણ પોતાને અનુભવે. જે જ્ઞાન ગુણનો પ્રકાશ, તેનો વિચાર કહેતાં પ્રાપ્તિ થાય, તે જ ધ્યાન છે. પર્યાયને સ્વરૂપમાં લીન કરે, મનને દ્રવ્યમાંથી ગુણમાં લાવે, ગુણમાંથી પર્યાયમાં લાવે અથવા બીજા પ્રકારે ધ્યેયને ધ્યાવે તેને (અર્થથી) અર્થાતર કહીએ. અથવા
Please inform us of any errors on [email protected]