Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 134
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિનું વર્ણન : ૧૧૭ : ભેદવાળું છે; તેને નિર્વિકલ્પરૂપ દેખે છે, તેથી સામાન્ય અવલોકન થયું. ( જ્ઞાન અને દર્શન) એ બન્નેનો પ્રકાશ એક ચેતનસત્તાથી થયો છે, તે બન્નેની સત્તા એક છે-આવો તર્ક સમાધાનકારથી ભાવશ્રુતમાં થયો છે. આ ભાવકૃતનું નામ “વિતર્ક” છે. “અનુગત' કહેતાં તે (વિતર્ક) ની સાથે જ સુખ થયું તેને [ વિતર્ક અનુગત ] સમાધિ કહીએ. છાસ્થને તે (સુખ) ભાવકૃતના વિલાસથી ચૈતન્ય પ્રકાશને જાણતાં-વેદતાં-અવલોકતાં-અનુભવતાં થાય છે. જ્ઞાતાને પોતાના આનંદથી સમાધિ ઊપજે છે. તેના ત્રણ ભેદ છે. પ્રથમ તો વિતર્ક એવો શબ્દ છે, તેનો અર્થ, શ્રુત-વિતર્કનો અર્થ છે. (અને) તે અર્થનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. શબ્દ દ્વારા અર્થ, અર્થ દ્વારા જ્ઞાન અને જ્ઞાનધારા આનંદરૂપ સમાધિ છે. એ પ્રમાણે વિતર્કસમાધિનું સ્વરૂપ કહ્યું તે જાણવું. ૪. વિચાર-અનુગત સમાધિ. હવે, વિચાર-અનુગત સમાધિ કહીએ છીએ: શ્રુતના જુદા જુદા અર્થ વિચારવા તેને વિચાર કહીએ. શ્રુતના અર્થદ્વારા સ્વરૂપના વિચારમાં વસ્તુની સ્થિરતા-વિશ્રામ-આચરણજ્ઞાયકતા-આનંદ-વેદના-અનુભવ. નિર્વિકલ્પ સમાધિ થાય છે તે કહીએ છીએ. અર્થ કહેતાં ધ્યેય ( રૂપ) વસ્તુ-દ્રવ્ય, અથવા ગુણ અથવા પર્યાય. દ્રવ્ય-વિચાર અનેક પ્રકારે છે; ગુણપર્યાયરૂપ અથવા સત્તારૂપ અથવા ચેતનાપુંજ-એ પ્રમાણે દ્રવ્યને વિચારી પ્રતીતિમાં લીન થતાં સમાધિ થાય છે કેવળ વિચાર જ ન કરે પણ પોતાને અનુભવે. જે જ્ઞાન ગુણનો પ્રકાશ, તેનો વિચાર કહેતાં પ્રાપ્તિ થાય, તે જ ધ્યાન છે. પર્યાયને સ્વરૂપમાં લીન કરે, મનને દ્રવ્યમાંથી ગુણમાં લાવે, ગુણમાંથી પર્યાયમાં લાવે અથવા બીજા પ્રકારે ધ્યેયને ધ્યાવે તેને (અર્થથી) અર્થાતર કહીએ. અથવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142