Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 117
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચિદ્ર વિલાસ ૨. (તીર્થસેવા ) અનુભવી વીતરાગ સત્પુરુષોના સંગને તીર્થસેવા કહીએ. : ૧૦૦ : ૩. ( ભક્તિ )–જિનસાધુ ( અને ) સ્વધર્મીની આદરતા વડે (તેમનો ) મહિમા વધારવો તેને ભક્તિ કહીએ. ૪. (સ્થિરતા )–સમ્યક્ત્વભાવની દઢતા તે સ્થિરતા છે. ૫. (પ્રભાવના )–પૂજા-પ્રભાવ કરવો તે પ્રભાવના છે. એ ભૂષણ સમ્યક્ત્વનાં છે. (૪૫-૪૯) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ છે, તે કયા કયા ? ( તે કહે છે ) : ૧. ઉપશમ. ૨. સંવેગ, ૩ નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિકય. તે કહીએ છીએ: ૧. ( ઉપશમ )–રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપશમ છે. ૨. (સંવેગ )–નિજધર્મ તથા જિનધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે. ૩. (નિર્વેદ )–વૈરાગ્ય ભાવ તે નિર્વેદ છે. ૪. ( અનુકંપા ) સ્વદયા-પરદયા તે અનુકંપા છે. ૫. ( આસ્તિકય )–સ્વરૂપની (તેમ જ ) જિનવચનોની પ્રતીતિ તે આસ્તિકય છે. -એ અનુભવીનાં લક્ષણો છે. (૫૦-૫૫ ) હવે છ જૈનસાર લખીએ છીએ ૧. વંદના, ૨. નમસ્કાર, ૩. દાન, ૪. અનુપ્રયાણ, પ. આલાપ (અને ) ૬. સંલાપ. ૧. ( વંદના )પરતીર્થ, પરદેવ (અને ) પરચૈત્ય-તેમને વંદના ન કરે; ૨. ( નમસ્કા૨ ) ( તેમની ) પૂજા કે નમસ્કાર ન કરે; ૩. (દાન )–(તેમને ) દાન ન કરે, ૪. ( અનુપ્રયાણ )–અનુપ્રયાણ કહેતાં ખાન-પાનથી અધિક ન કરે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142