________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ મુક્તિ
[: ૬૩ : (તેને) જુદી કહી, પણ (અભેદપણે) દેખીએ તો તે લક્ષણ
જીવનશક્તિનું જ છે. જેમ-સામાન્ય ચેતના ચેતનાના પંજરૂપ છે અને વિશેષ ચેતના જ્ઞાનચેતના, દર્શનચેતના (વગેરે) અનંતરૂપ છે; સામાન્ય ચેતનાથી વિશેષ ચેતના જુદી નથી; વિશેષ ચેતના વિના ચેતનાનું સ્વરૂપ જાણવામાં ન આવે તેમ- જીવનશક્તિથી ચેતનાભાવ જાદો નથી, પણ ચેતનાભાવનું વિશેષ કહ્યા વિના જીવનશક્તિનું સ્વરૂપ જાણવામાં ન આવે. આ જીવનશક્તિ અનાદિનિધન અનંત મહિમાને ધારણ કરે છે અને સર્વ શક્તિઓમાં તે સાર છે, તથા તે સર્વનો જીવ છે, (અર્થાત્ જીવનશક્તિ બધી શક્તિઓનો આત્મા છે). આવી જીવનશક્તિને જાણવાથી જીવ જગપૂજ્ય પદને પામે છે, માટે જીવનશક્તિને જાણો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com