________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે
વસ્તુમાં અનંત ગુણો છે. તે એક એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે. કઈ રીતે? તે કહે છે. જો સત્તાગુણ છે તો સર્વે ગુણ છે; માટે સત્તા વડે સર્વે ગુણોની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મ ત્વ] ગુણ છે તો સર્વે ગુણો સૂક્ષ્મ છે; જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે (ગુણો) સામાન્ય વિશેષતા સહિત છે; જો વત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે– વ્યાપે છે; જો અગુરુલઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો અગુરુલઘુ છે; જો અબાધિત ગુણ છે તો સર્વે ગુણો અબાધિત છે; જો અમૂર્તિક ગુણ છે તો સર્વે [ ગુણો] અમૂર્તિક છે-આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં છે [અને તે ] સર્વની સિદ્ધિનું કારણ છે.
એકેક ગુણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સાધીએ. [જેમ કે ] એક જ્ઞાન ગુણ છે. તેનું જ્ઞાનરૂપ તો દ્રવ્ય છે, તેનું [જાણપણારૂપ ] લક્ષણ તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, આકૃતિ તે વ્યંજનપર્યાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જે પરિણિત તે પર્યાય છે, જ્ઞાન શેયો વિષે પર્યાય વડે આવ્યું છે, તો પરિણિત તો ન આવી! તો પર્યાય વડે [ જ્ઞાન શેયોમાં ] કઈ રીતે આવ્યું ?
તેનું સમાધાનઃ- [જ્ઞાનની ] પરિણતિ અભેદરૂપે અથવા તાદાત્મ્યરૂપે [ તો શેયમાં] આવી નથી, પરંતુ પર્યાયની શક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com