________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬ર :
ચિદ્ વિલાસ પણ, ભેદ વસ્તુનું અંગ છે. અનેક અંગ વડે એક વસ્તુ કહીએ. તેનું દષ્ટાંતઃ- જેમ એક નગર છે તેમાં ઘણા મહોલ્લા છે અને તે મહોલ્લામાં ઘણાં ઘર છે. ત્યાં તે (મહોલ્લા, મકાન વગેરે) જુદાં જુદાં અંગમાં તો નગર નથી (પરંતુ ) તે સર્વના એક ભાવરૂપ નગર છે. જેમ એક નરનાં અનેક અંગ છે, (ત્યાં કોઈ ) એક અંગમાં નર નથી; સર્વ અંગરૂપ નર છે. તેમ દ્રવ્યરૂપ, ગુણરૂપ, પર્યાયરૂપ જીવ નથી; જીવ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયનું એકત્વ છે. જો એક અંગમાં જીવ હોય તો જ્ઞાનજીવ, દર્શનજીવ-એ પ્રમાણે અનંત ગુણો અનંત જીવ થઈ જાય. માટે અનંત ગુણનો પુંજ જીવવસ્તુ છે.
[વળી જીવમાં એક ચિતિશક્તિ (ચૈતન્યશક્તિ) કહેવામાં આવી છે.) અહીં કોઈ પ્રશ્ન કરે કે-જો ચેતના ભાવને (જીવનશક્તિની વ્યાખ્યામાં) જીવનું લક્ષણ કહ્યું, તો ચૈતન્યશક્તિ જુદી શા માટે કહી ? તેનું સમાધાન-ચૈતન્યશક્તિ જે છે તે જડના અભાવથી છે. અને જ્ઞાનચેતના આદિ અનંત ચેતના સહિત છે. તે અનંત ચેતનાના પ્રકાશરૂપ ચિશક્તિ હોય તો જીવનશક્તિ રહે, ચેતનાના અભાવથી જીવનો અભાવ છે. ચેતના પ્રકાશ રૂપ છે. અનંત ગુણ-પર્યાય (રૂપ) ચેતના પ્રાણને ધારણ કરીને જીવનશક્તિ સદા જીવે છે. વિશેષ (રૂપે જોતાં ) ગુણ તત્ત્વ, પર્યાય તત્ત્વ અને દ્રવ્ય તત્ત્વ એ ત્રણે મય જીવતત્ત્વને જીવનશક્તિ પ્રકાશે છે. તે ચેતના-લક્ષણનો પ્રકાશ સદા પ્રકાશિત રહે તો જીવત્વ નામ પામે. માટે ચેતનાલક્ષણ જીવ વસ્તુનું છે; અને ચિદૃશક્તિ જાદી કહી, તે ચૈતન્યશક્તિ પોતાના અનંત પ્રકાશરૂપ મહિમાને ધારણ કરે છે તે બતાવવા માટે
૧. ગુજ. સમયસાર પૃ. ૫0૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com