________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય
: પ૫ : તે જ ભાવરૂપ થઈને પરિણમે છે; (તે અહીં કહીએ છીએ) :- જેમ પુગલ વસ્તુ વિષે સ્કંધ-કર્મ-વિકાર કોઈ ગુણ તો નથી, પરંતુ તે પુદ્ગલ વસ્તુના પરિણામ તે સ્કંધ-કર્મ-વિકાર ભાવરૂપ સ્વાંગ ધરીને પરિણમે છે. બીજા કોઈ દ્રવ્યના પરિણામ એ (સ્કંધ- ) કર્મ-વિકાર ભાવને ધારણ કરીને પરિણમતા નથી, પણ આ એક પુદ્ગલ જ તે સ્વાંગ ધારણ કરીને વર્તે છે-એ નિઃસંદેહ છે. એવી જ રીતે આ જીવ વસ્તુના પરિણામ (પણ) રંજક (મલિન), સંકોચ-વિસ્તાર, અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિરત આદિ ચેતન-વિકારરૂપે થઈને પરિણમે છે; એવો ચેતનવિકારભાવ તો તે ચેતનદ્રવ્યના પરિણામ વિષે જ જોવામાં આવે છે, અચેતન દ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં આવતો નથી.-એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે ને વિકારભાવ (છે, તે) પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે, અને તે તે દ્રવ્યના પરિણામ આશ્રિત (જ તે વિકાર) હોય છે,–તે પણ નિશ્ચય સંજ્ઞા નામ પામે. ઈતિ નિશ્ચયઃ
વળી, “ર' કારથી બીજા પણ નિશ્ચયભાવ જાણવા. (તે પ્રકારોનું વર્ણન કરે છે) :
(૫) નિજ વસ્તુની જેટલી પરિમિતિ (-ક્ષેત્ર) છે તેટલી પરિમિતિ વિષે જ દ્રવ્ય-ગુણ-પર્યાયના જ વ્યાપ્ય-વ્યાપક, થઈને વર્તે છે, પોતપોતાની સત્તા વિષે જ વ્યાપ્ય વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે-એને પણ નિશ્ચય કહીએ.
(૬) વળી, જે ભાવ જે ભાવના પ્રતિપક્ષી-વેરી હોય તે તેની સાથે જ વૈર કરે, બીજા સાથે ન કરે-એને પણ નિશ્ચય કહીએ.
(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com