Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 31
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાન ગુણનું સ્વરૂપ હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞેયને જાણે છે; તે ૫૨શેયોને જાણવામાં, જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય-તાદાત્મ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી નિશ્ચયથી તો ન જાણે, ઉપચા૨થી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [બને ] ? જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ [પણું] જાઠું થાય, તે ન બને. તેનું સમાધાનઃ- જેમ અરીસામાં ઘડો-વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે ‘દેખવું’ તે તો ઉપચાર દર્શન નથી, [તેમ જ્ઞાન] શેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ-પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય-વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [ અર્થાત્ ૫૨ને જાણતાં જ્ઞાન ૫૨ સાથે એકમેક થતું નથી ], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી. એ વાત વિશેષ લખીએ છીએ: કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે શૈયોનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે ૧ જીઓ, સમયસાર ગા. ૩૫૬ થી ૩૬૫ ઉ૫૨ જયસેનાચાર્યની ટીકામાં ૪૬૬-૪૬૭. ૨. જુઓ, સમયસાર કલશ-૨૫૧; Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142