________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુણ અધિકાર
: ૯ : સત્તા જ્ઞાનરૂપ છે કે નથી?-(૧) જો સત્તા જ્ઞાનરૂપ કહીએ તો ( જ્ઞાનગુણ સત્તાગુણના આશ્રયે ઠરે, અને એમ થતાં), ‘દ્રવ્યાશ્રય નિના ગુણ" આ સૂત્રમાં ગુણમાં ગુણની મના કરી છે તે સૂત્ર જજૂઠું ઠરે છે. (અ) (૨) જો (સત્તાને) જ્ઞાનરૂપ ન માનીએ તો (તે) જડ ઠરે છે. તેથી સપ્તભંગ સાધીએ છીએ. તે આ પ્રમાણે –
(૧) કેવળ ચૈતન્યનું અસ્તિત્વ છે એમ જ્યારે કહીએ ત્યારે (સત્તા) જ્ઞાનરૂપ છે (સ્યાત્ અસ્તિ).
(૨) કેવળ સત્તાલક્ષણસાપેક્ષ, અન્યગુણનિરપેક્ષ લઈએ ત્યારે (સત્તા) જ્ઞાનરૂપ નથી. (સ્સાત્ નાસ્તિ).
(૩) બન્ને વિવક્ષાઓમાં (સત્તાકથંચિત્ ) જ્ઞાનરૂપ છે, નથી. (સ્યાત્ અસ્તિ-નાસ્તિ).
(૪) (સત્તાનો) અનંત મહિમા વચનગોચર નથી તેથી અવક્તવ્ય છે. [ અથવા સત્તા જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ નથી એવા બન્ને પ્રકાર એકસાથે કહી શકાતા નથી માટે સ્યાત્ અવક્તવ્ય છે. ] ( સ્યાત્ અવક્તવ્ય).
(૫) “(સત્તા) જ્ઞાનરૂપ છે” એમ કહેતાં “(સત્તા જ્ઞાનરૂપ) નથી” એવા ભંગનું કથન બાકી રહી જાય છે તેથી સત્તા જ્ઞાનરૂપ છે; પરંતુ અવક્તવ્ય છે. (સ્યા અતિ અવક્તવ્ય)
(૬) “( સત્તા) જ્ઞાનરૂપ નથી' એમ કહેતાં “( સત્તા) જ્ઞાનરૂપ છે” એવા ભંગનું કથન બાકી રહી જાય છે તેથી (સત્તા જ્ઞાનરૂપ નથી અને) અવક્તવ્ય છે. (સ્યા નાસ્તિ અવક્તવ્ય)
(૭) અસ્તિ-નાસ્તિ બને ભંગ એક સાથે કહી શકાતા નથી તેથી ( સત્તા જ્ઞાનરૂપ છે-જ્ઞાનરૂપ નથી ને) અવક્તવ્ય છે (સાત અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય ).
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫-૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com