________________
૧૨? : જૈનદર્શન શ્રેણી-૧
અશોકવૃક્ષની નીચે પિતાના હાથે જ પંચમુષ્ટિક લેચ કર્યો. સાધુ જીવનની મહાન પ્રતિજ્ઞા લીધી ?
આજથી હું કોઈ પણ જાતનું પાપકામ મન, વચન અને કાયાથી કરીશ, કરાવીશ કે અનુમોદીશ નહિ. મારી સંપૂર્ણ આત્મશુદ્ધિ કરીશ.”
સાધનાના પંથે આ સમયે સહુની એક આંખમાં હર્ષ તે બીજી આંખમાં આંસુ હતાં. સહુના હૈયાં ખળભળી ઊઠડ્યાં હતાં. મોટાભાઈ નંદીવર્ધન વર્ધમાનની ભાવનાને જાણતા હતા, એટલે એમણે ભારે હૈયે રજા તે આપી, પરંતુ આ વિદાય સમયે મન મેકળું કરીને રડી પડ્યા.
વર્ધમાનનું મન હવે જગતના મેહ કે શેકમાં ઘસડાય તેવું નહોતું. એમની નજર સાધના પર હતી, અને એથી જ પળવારમાં એમણે ઘરને વન અને વનને ઘર બનાવી દીધું. ત્રીશ વર્ષની વયે વર્ધમાને સંસારને ત્યાગ કર્યો. ઈન્દ્રિયવિજય અને આત્મસિદ્ધિની આ યાત્રા હતી. રજપૂતને પણ પાણી પીવડાવે તેવું પરાક્રમ હતું. એમણે વસ્ત્ર અળગાં કર્યા. આ વખતે દેવરાજ ઈન્દ્ર એમના ખભા ઉપર સુંદર એવું દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું.
મહાવીર ચાલી નીકળ્યા. એ સમયે મશર્મા નામને એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે દાન માગ્યું. મહાવીર પાસે બીજુ કંઈ નહતું, એટલે તેમણે પોતાના ખભે રહેલા 4માંથી અર્ધ વસ'ફાડીને આપી દીધુ: બ્રાહgવસા લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com