________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન:
૧. આ સ્તુતિ કોની છે? સાચા દેવ કોને કહે છે? ૨. પૂરેપૂરી સ્તુતિ સંભળાવો અથવા લખો. ૩. આ સ્તુતિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો.
નીચેની લીટીઓનો અર્થ લખો“જ્ઞાન ભાનુકા ઉદય કરો, મમ મિથ્યાતમકા હોય વિનાશ.” “દૂર ભગાવે બુરી રીતિયાં, સુખદ રીતિકા કરે પ્રચાર.” “અષ્ટ કરમ જે દુ:ખ હેતુ , તિનકે ક્ષયકા કરે ઉપાય.”
જ
પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્ત વાકય.
૧. જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશક હોય તે જ સાચા દેવ છે. ૨. જે રાગ-દ્વેષથી રહિત હોય તે જ વીતરાગ છે. ૩. જે લોકાલોકના સમસ્ત પદાર્થોને એક સાથે જાણતા હોય, તે જ સર્વજ્ઞ છે. ૪. આત્માને હિતકારી ઉપદેશ આપનાર હોવાથી તે જ વીતરાગ, સર્વજ્ઞ અને
હિતોપદેશક છે. ૫. મિથ્યાત્વનો નાશ કર્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. ૬. આઠેય કર્મ દુઃખના નિમિત્ત છે, કોઈપણ શુભાશુભ કર્મ સુખનું કારણ નથી. ૭. જ્ઞાની ભક્ત આત્માની શુદ્ધિ સિવાય બીજું કાંઈ ચાહતા નથી.
******
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com