________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અન્ન, પાણીનો સર્વથા અભાવ છે. ત્યાં જીવોને ભયંકર ભૂખ અને તરસની વેદના સહન કરવી પડે છે. તે લોકો તીવ્ર કષાયી પણ હોય છે, અંદરોઅંદર લડ્યા કરે છે, માર-કાટ મચી રહે છે.
જે જીવ મરીને એવા સંયોગોમાં જન્મ લે છે, તેને નારકી કહે છે. પુત્ર- અને દેવ? પિતા- જે જીવો જેવા ભાવ કરે છે તે
પ્રમાણે તેમને ફળ પણ મળે છે. તેમને, તેનાં ફળ મળે એવાં સ્થાન પણ હોય છે. જેવી રીતે પાપનું ફળ ભોગવવાનાં સ્થાન નરકાદિ ગતિ છે, તેવી જ રીતે જે જીવ પુણ્યભાવ કરે છે, તેનું ફળ ભોગવવાનું સ્થાન દેવગતિ છે. દેવગતિમાં મુખ્યપણે ભોગસામગ્રી મળે છે.
દેવગતિ
જે જીવ મરીને દેવોમાં જન્મ લે છે તેમને દેવગતિના જીવ કહે છે. પુત્ર- કઈ ગતિ સારી છે?
પિતા- જ્યારે બતાવ્યું કે ચાર ગતિમાં દુઃખ જ છે તો પછી ગતિ સારી કેવી રીતે
હોય? એ ચારેય ગતિ સંસાર છે. પુત્ર- મનુષ્યગતિ સારી કહો ને? કેમ કે તેનાથી જ મોક્ષપદ મળે છે.
૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com