________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક- ના, હમણાં જ તમને બતાવ્યું હતું કે વાદળીપણું, પીળાપણું એ તો
પુદ્ગલની પર્યાય છે. આકાશ તો અરૂપી છે, તેમાં કોઇ રંગ હોતો નથી.
જે બધાં દ્રવ્યોને રહેવામાં નિમિત્ત છે, તે જ આકાશ છે. વિધાર્થી- આ આકાશ ઉપર છે ને? શિક્ષક- એ તો બધી જગ્યાએ છે; ઉપર, નીચે અને આજુબાજુ. દુનિયાની એવી
કોઈ જગ્યા નથી જ્યાં આકાશ ન હોય. બધાં દ્રવ્યો આકાશમાં જ છે.
વિદ્યાર્થી- કાળ તો સમય જ કહે છે કે કોઈ બીજી વાત છે?
શિક્ષક
કાળનું બીજું નામ સમય પણ છે, પરંતુ કાળ જીવ અને પુદ્ગલની જેમ એક દ્રવ્ય પણ છે. તેમાં જે સમયે સમયે અવસ્થા થાય છે. તેનું નામ સમય છે. આ કાળ દ્રવ્ય જગતના સમસ્ત પદાર્થોના પરિણમનમાં
નિમિત્ત માત્ર હોય છે. વિદ્યાર્થી- ઠીક, તો આ દ્રવ્યો કુલ કેટલા છે? શિક્ષક- ધર્મ, અધર્મ અને આકાશ તો એક એક જ છે પણ કાળ દ્રવ્ય અસંખ્ય
છે અને જીવ દ્રવ્ય તો અનંત છે. તેમ જ પુદ્ગલ જીવોથી પણ
અનંતગુણા છે અર્થાત્ અનંતાનંત છે. વિદ્યાર્થી- આ દ્રવ્યો સિવાય બીજું કાંઇ જગતમાં નથી? શિક્ષક- એમના સિવાય કોઈ જગત જ નથી. છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે
અને વિશ્વને જ જગત કહે છે.
૨૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com