________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિદ્યાર્થી- તો આ વિશ્વને બનાવ્યું કોણે? શિક્ષક- એ તો અનાદિ-અનંત સ્વ-નિર્મિત છે; એને બનાવનાર કોઈ નથી. વિદ્યાર્થી- અને ભગવાન કોણ છે? શિક્ષક- ભગવાન વિશ્વને જાણનાર છે, બનાવનાર નથી. જે ત્રણ લોક અને
ત્રણ કાળના સમસ્ત પદાર્થોને એકી સાથે જાણે તે જ ભગવાન છે. વિદ્યાર્થી- છેવટે, વિશ્વમાં જે કાર્ય થાય છે તેનો કર્તા તો કોઈ હશે ને? શિક્ષક- પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પર્યાયનો (કાર્યનો) કર્તા છે. કોઈ કોઈનો
કર્તા નથી, એવી અનંત સ્વતંત્રતા દ્રવ્યોના સ્વભાવમાં પડેલી છે. તેને જે ઓળખી લે છે, તે જ આગળ જતાં ભગવાન થાય છે.
પ્રશ્ન
૧. દ્રવ્ય કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? નામ ગણાવો. ૨. વિશ્વ કોને કહે છે? એને બનાવનાર કોણ છે? ભગવાન શું કરે છે? ૩. પ્રત્યેક દ્રવ્યની અલગ અલગ સંખ્યા લખો. ૪. વ્યાખ્યા લખો:- ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. ૫. ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તે દ્રવ્યને સમજાવો. ૬. આત્માનો સ્વભાવ શું છે? તે ઈન્દ્રિયોથી કેમ જણાતો નથી? ૭. અજીવ અને અમૂર્તિક દ્રવ્યો ગણાવો.
૨૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com