Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 36
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પહેલો વિદ્યાર્થી- તેમના જન્મકલ્યાણક વખતે તો ઉત્સવ ઊજવવામાં આવ્યો હશે? - જ્યારે આપણે આજેય ઉત્સવ ઊજવીએ છીએ તો તે સમયનું શું કહેવું? શિક્ષક- હા, તેઓ નાથ વંશના ક્ષત્રિય રાજકુમાર હુતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમણે તો ઉત્સવ ઊજવ્યો જ હતો, પણ સાથોસાથ બધી પ્રજાએ, એટલું જ નહિં પણ સ્વર્ગના દેવો અને ઈન્દ્રાદિએ પણ ઉત્સવ ઊજવ્યો હતો. બીજો વિદ્યાર્થી- તેમનો જ જન્મોત્સવ કેમ ઊજવવામાં આવે છે, બીજાઓનો કેમ નહિ? શિક્ષક- એ એમનો છેલ્લો જન્મ હતો. એ પછી તો તેમણે જન્મ-મરણનો નાશ જ કરી નાખ્યો. તેઓ વીતરાગ અને સર્વજ્ઞ થયા. જન્મ લેવો એ કાંઈ સારી વાત નથી પણ જે જન્મમાં જન્મ-મરણનો નાશ કરીને ભગવાન બની શકાય તે જ જન્મ સાર્થક છે. પહેલો વિદ્યાર્થી- ઠીક, તો આજે જન્મ-મરણનો નાશ કરનારનો જન્મોત્સવ છે. બીજો વિધાર્થી- ગુરુજી, આપે તેમનાં માતા-પિતાનું નામ તો બતાવ્યું પણ પત્ની અને બાળકોનાં નામ તો બતાવ્યાં જ નહિ. શિક્ષક- તેમણે લગ્ન જ નહોતા કર્યા. તેથી પત્ની અને બાળકોનો પ્રશ્ન જ ઊઠતો નથી. તેમનાં માતા-પિતા પ્રયત્ન કરીને હારી ગયાં, પણ તેમને લગ્ન કરવાને રાજી ન કરી શક્યાં. ત્રીજો વિધાર્થી- તો શું તેઓ સાધુ થઈ ગયા હતા? ૩) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40