Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 28
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પિતા- આપણે એ જાણી લેશું કે ચારે ગતિઓમાં દુઃખ જ છે, સુખ નથી અને ચાર ગતિના પરિભ્રમણનું કારણ શુભાશુભ ભાવ છે, એનાથી છૂટવાનો ઉપાય એક વીતરાગ ભાવ છે. આપણે વીતરાગ ભાવ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો આશ્રય લેવો જોઇએ. પ્રશ્ન ૧. ગતિ કોને કહે છે? તે કેટલા પ્રકારની છે? ૨. તિર્યંચ ગતિ કોને કહે છે? ૩. નરક ગતિના વાતાવરણનું વર્ણન કરો. એવાં ક્યાં કારણ છે કે જેનાથી જીવ નરક ગતિ પ્રાપ્ત કરે છે? ૪. શું દેવગતિમાં પણ સુખ નથી? સકારણે ઉત્તર આપો. ૫. સૌથી સારી ગતિ કઇ છે? યુક્તિસંગત ઉત્તર આપો. પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાંત વાક્ય. ૧. જીવની અવસ્થા વિશેષને ગતિ કહે છે. ૨. જીવ ક્યાંકથી મરીને મનુષ્ય-શરીર ધારણ કરે છે, તેને મનુષ્યગતિ કહે ૩. જીવ ક્યાંકથી મરીને તિર્યંચ-શરીર ધારણ કરે છે. તેને તિર્યંચગતિ કહે છે. ૪. જીવ ક્યાંકથી મરીને નારકી-શરીર ધારણ કરે છે, તેને નરકગતિ કહે છે. ૫. જીવ ક્યાંકથી મરીને દેવ-શરીર ધારણ કરે છે, તેને દેવગતિ કહે છે. ૬. જીવ આત્માને ઓળખીને તેની સાધના વડે ચાર ગતિનાં દુ:ખોથી છૂટીને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, તેને પંચમ ગતિ કહે છે. ૭. એક વીતરાગભાવ જ પંચમ ગતિ (મોક્ષ)નું કારણ છે. વીતરાગભાવ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો આશ્રય લેવો જોઇએ. ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40