Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 27
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પિતા- જો એ સારી હોત તો સિદ્ધ જીવ એનો પણ ત્યાગ કેમ કરત? માટે ચારે ગતિનું પરિભ્રમણ છોડવું તે જ સારું છે. પુત્ર- જો આ ગતિઓનું ભ્રમણ છોડવું તે જ સારું હોય તો પછી આ જીવ આ ગતિઓમાં કેમ ઘૂમ્યા કરે છે? પિતા- અપરાધ કરે તો સજા ભોગવવી જ પડે. પુત્ર- કયા અપરાધના ફળ કઇ ગતિ મળે છે? પિતા- ઘણો આરંભ કરવાના અને ઘણો પરિગ્રહ રાખવાના ભાવ જ એવો અપરાધ છે કે જેનાથી આ જીવને નરકમાં જવું પડે છે. ભાવોની કુટિલતા અર્થાત્ માયાચાર, છળકપટ તિર્યંચ-આયુષ્યના બંધનું કારણ છે. પુત્ર- મનુષ્ય અને દેવ? પિતા- અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવાનો ભાવ તથા સ્વભાવની સરળતા એ મનુષ્ય-આયુષ્યના બંધના કારણ છે. એવી જ રીતે સંયમની સાથેનો શુભ ભાવરૂપ રાગાંશ અને અસંયમાંશ મંદકષાયરૂપ ભાવ તથા અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા તપશ્ચરણના ભાવ દેવ-આયુષ્યના બંધના કારણ છે. પુત્ર- ઉપરોક્ત ભાવ બંધનાં કારણ હોવાથી અપરાધ જ છે તો પછી નિરપરાધ દશા શું છે? પિતા- એક વીતરાગભાવ જ નિરપરાધ દશા છે, માટે તે મોક્ષનું કારણ છે. પુત્ર- આ બધું જાણવાથી શું લાભ છે? ૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40