________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પાંચમો
ગતિ
પુત્ર- પિતાજી! આજે મેં મંદિરમાં સાંભળ્યું કે “ચારો ગતિ કે માંહિ પ્રભુ દુઃખ
પાયો મેં ઘણો.” આ ચારેય ગતિ શું છે કે જેમાં દુઃખ જ દુ:ખ છે? પિતા- બેટા! જીવની અમુક ખાસ અવસ્થાને ગતિ કહે છે. જીવ સંસારમાં સ્કૂલ
અપેક્ષાએ ચાર અવસ્થાઓમાં જોવા મળે છે, તેને જ ચાર ગતિ કહે છે. જ્યારે આ જીવ આત્માને ઓળખીને તેની સાધના કરે છે ત્યારે તે ચાર ગતિનાં દુ:ખોથી છૂટી જાય છે અને પોતાનું અવિનાશી સિધ્ધપદ પ્રાપ્ત
કરી લે છે, તેને પંચમ ગતિ કહે છે. પુત્ર- તે ચાર ગતિ કઈ કઈ છે? પિતા- નરક, તિર્યંચ, દેવ અને
મનુષ્ય. પુત્ર- મનુષ્ય તો હું અને તમે પણ
છીએ ને? પિતા- આપણે મનુષ્યગતિમાં છીએ,
તેથી મનુષ્ય કહેવાઇએ છીએ. આમ તો હું અને તમે પણ આત્મા છીએ.
મનુષ્યગતિ
૧૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com