________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હું હમણાં આઠ દિવસ પહેલાં મારા પિતાજીની સાથે કલકત્તા ગયો હતો. ત્યાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા જોવા મળી ત્યાં તો પોતે મારી આંખે જોયું કે જે પાણી આપણને ચોખ્ખું દેખાય છે, તેમાં સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાથી લાખો જીવ દેખાય છે.
તેથી મેં એ પ્રતિજ્ઞા કરી લીધી કે હવે અણગળ પાણી કદી પણ નહિ પીઉ. હું તમને પણ વિનંતી કરવા ઈચ્છું છું કે તમે પણ એ નિશ્ચય કરી લ્યો કે અમે પાણી ગાળીને જ પીશું.
આટલું કહીને હું આજની સભા પૂરી થયાની જાહેરાત કરું છું. (ભગવાન મહાવીરનો જય બોલીને સભા પૂરી થાય છે.)
પ્રશ્ન
૧. પાણી ગાળીને શા માટે પીવું જોઈએ? ૨. રાત્રે ખાવાથી શું નુકસાન છે? ૩. ક્રોધ કરવો શા માટે ખરાબ છે? ૪. હઠીલા છોકરાની વાર્તા તમારા શબ્દોમાં લખો. ૫. સભા-સંચાલનની રીત તમારા શબ્દોમાં લખો.
૧૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com