________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
એક ગામમાં એક જાન આવી હતી, તેને માટે રાત્રે ભોજન તૈયાર થતું હતું. અંધારામાં કોઈએ જોયું નહિ અને શાકમાં એક સર્પ પડી ગયો. રાત્રે જ ભોજન તૈયાર થયું બધા જાનૈયાઓએ ભોજન લીધું પણ ચાર-પાંચ માણસોએ કહ્યું કે અમે તો જમતા નથી. બધાએ ખૂબ મશ્કરી કરી. આ મોટા ધર્માત્મા થઈને ફરે છે, રાત્રે ભૂખ્યા રહેશે તો સીધા સ્વર્ગે જશે.
પણ બન્યું એવું કે ભોજન કરતાં જ માણસો બેહોશ થવા લાગ્યા. બીજાઓને સ્વર્ગ મોકલનાર પોતે જ સ્વર્ગની તૈયારી કરવા લાગ્યા. પણ તરતજ તે પાંચ માણસોએ તેમને દવાખાને પહોંચાડયા.
ત્યાં મહામહેનતે અર્ધાને બચાવી શકાય. જો તેમણે પણ રાત્રે ખાધું હોત તો એક પણ માણસ બચત નહિ. માટે કોઈએ રાત્રે ભોજન કરવું ન જોઈએ.
એટલું કહીને હું મારા સ્થાને બેસી જાઉ છું.
૧૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com