Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 20
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates લાગ્યા પણ તે કહેવા લાગ્યો કે મારો લાડવો નાનો છે, બીજાં બાળકો ત્યાં સુધીમાં લાડવો ખાઈ ગયા હતા, નહિ તો બદલાવી આપત. તે ક્રોધી તો હતો જ એટલે જોરથી રોવા મંડયો અને ગુસ્સામાં આવીને લાડવો પણ ફેંકી દીધો. જઈને એક ખૂણામાં સૂઈ ગયો આખો દિવસ ખાધું પણ નહિ, ખૂબ મનાવ્યો પણ તે તો અભિમાનીય હતો જ ને! કેમ માને? ખૂણામાં એક વીંછી હતો તેને તે કરડ્યો. તેને પોતાના આચરણની સજા મળી ગઈ. આખો દિવસ ભૂખ્યો રહ્યો, લાડવો પણ ગયો અને વીંછી કરડ્યો તે વધારામાં. ક્રોધી, માની, લોભી અને હઠીલાં બાળકોની એવી જ દશા થાય છે. તેથી આપણે ક્રોધ, માન, લોભ અને હઠ ન કરવો જોઇએ. એટલું કહીને હું મારા સ્થાને બેસી જાઉ છું. ( તાળીઓનો ગડગડાટ ) (ઊભા થઈને) શાંતિલાલે ઘણી બોધદાયક વાર્તા સંભળાવી છે. હવે હું નિર્મળા બેનને વિનંતી કરું છું તે પણ કોઇ બોધદાયક વાર્તા સંભળાવે. અધ્યક્ષ નિર્મળા- (મેજ પાસે ઊભી રહીને) માનનીય પ્રમુખશ્રી અને ભાઈઓ તથા બહેનો! હું આપની સમક્ષ ભાષણ કરવા ઊભી થઇ નથી. મેં કાલે છાપામાં એક વાત વાંચી હતી તે જ સંભળાવવા ઇચ્છું છું. ૧૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40