Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 14
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પિતા-તમે ખૂબ હોશિયાર છો. સાચી વાત તમારી સમજણમાં બહુ જલદી આવી ગઈ. જીવને જે ખોટા રસ્તે લઈ જાય તેને જ પાપ કહે છે. એક રીતે દુ:ખનું કારણ ખરાબ કામ તે જ પાપ છે. મિથ્યાત્વ અને કષાયો ખરાબ કામ છે માટે પાપ છે. પ્રશ્ન ૧. પાપ કેટલાં છે? નામ બતાવો. ૨. જીવ ઘોર પાપ કેમ કરે છે? ૩. શું સત્યની સમજણ કર્યા વિના સત્ય બોધી શકાય ખરું? તર્કસંગત ઉત્તર આપો. ૪. શું કષાય પરિગ્રહ છે? સ્પષ્ટ કરો. ૫. દ્રવ્યહિંસા અને ભાવહિંસા કોને કહે છે? ૬. પાપથી બચવા માટે શું કરવું જોઈએ? ૭. સૌથી મોટું પાપ કયું છે? શા માટે? ****** પાઠમાં આવેલાં સૂત્રાત્મિક સિદ્ધાંત વાક્ય. ૧. દુઃખનું કારણ એવું ખરાબ કાર્ય જ પાપ છે. ૨. મિથ્યાત્વ અને કષાયો દુ:ખનાં કારણરૂપ ખરાબ કાર્ય હોવાથી પાપ છે. ૩. સૌથી મોટું પાપ તો મિથ્યાત્વ છે. ૪. મિથ્યાત્વને વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. ૫. મિથ્યાત્વ છૂટયા વિના ભવ-ભ્રમણ મટતું નથી. ૬. ઊલટી માન્યતાનું નામ જ મિથ્યાત્વ છે. ૭. સાચી વાત સમજીને તેને માનવી તે જ મિથ્યાત્વનો ત્યાગ છે. ૮. આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ અને દ્વેષ તે જ ભાવહિંસા છે. બીજાને હેરાન કરવા વગેરે તો દ્રવ્યહિંસા છે. ૯. સત્ય બોલતાં પહેલાં સત્યને જાણવું જરૂરી છે. ૧૦. મિથ્યાત્વ અને કષાય પરિગ્રહના નામ આપો. ૧૧. બધાં પાપોનું મૂળ મિથ્યાત્વ અને કષાય જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40