________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધ- કેટલાક માણસો છળ-કપટ ખૂબ કરે છે. પ્રબોધ- હા ભાઇ, તે પણ કષાય છે, તેને જ માયા કહે છે. કહેવાય છે કે માયા
કરનાર મરીને પશુ થાય છે. માયા કરનાર જીવના મનમાં કાંઇ બીજું હોય છે, તે કહે છે કાંઇ બીજું જ અને કરે છે તેનાથી પણ જુદું. લોભી જીવોને છળ-કપટ ઘણું હોય છે.
સુબોધ- લોભ કષાય વિષે પણ કાંઇક બતાવો.
પ્રબોધ- એ બહુ ભયાનક કષાય છે, અને તે જ પાપનો બાપ કહેવામાં આવે છે.
કોઇ ચીજ જોઇ કે એ ચીજ મને મળી જાય એમ જ લોભી હમેશાં વિચાર્યા કરે છે.
સુબોધ- કપાય ખરાબ વસ્તુ છે એ તો બધું બરાબર છે પણ પ્રશ્ન તો એ છે કે
એ ઉત્પન્ન કેમ થાય છે અને કેવી રીતે મટે?
પ્રબોધ- મિથ્યાત્વ (ઊંધી માન્યતા) ને લીધે પર પદાર્થ કાં તો ઈષ્ટ (અનુકૂળ)
અથવા અનિષ્ટ (પ્રતિકૂળ) લાગે છે, મુખ્યપણે તેથી જ કષાય ઉત્પન્ન થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે પર પદાર્થ ન તો અનુકૂળ લાગે અને ન પ્રતિકૂળ લાગે ત્યારે મુખ્યપણે કષાય પણ ઉત્પન્ન થાય
નહિ.
સુબોધ- ઠીક, તો આપણે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો જોઇએ.
તેનાથી જ કષાય મટે.
પ્રબોધ- હા, હા, સાચી વાત તો એ જ છે.
૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com