________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ત્રીજો
કષાય
સુબોધ- ભાઈ, તમે તો કહેતા હતા કે આત્મા માત્ર જાણે –દેખે છે, પણ
શું આત્મા ક્રોધ નથી કરતો, છળ-કપટ નથી કરતો? પ્રબોધ- હા, હા જરૂર કરે છે. પણ જેવો આત્માનો સ્વભાવ જાણવા
દેખવાનો છે, તેવો આત્માનો સ્વભાવ ક્રોધ આદિ કરવાનો
નથી. કષાય તો એ નો વિભાવ છે, સ્વભાવ નથી. સુબોધ- આ વિભાવ શું છે? પ્રબોધ- આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. સુબોધ- રાગ-દ્વેષ શું વસ્તુ છે? પ્રબોધ- જ્યારે આપણે કોઇને સારું જાણીને ચાહવા લાગીએ છીએ તો તે રાગ
કહેવાય છે અને જ્યારે કોઇને ખરાબ જાણીને દૂર કરવા ઇચ્છીએ છીએ, તો તે દ્વેષ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com