________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધ- અને કપાય ? પ્રબોધ- તમે દિવસ અને રાત કપાય તો કરો છો અને એ શું વસ્તુ છે તેટલું
પણ જાણતા નથી? કષાય રાગ-દ્વેષનું જ બીજું રૂપ છે. આત્માને જે કસે અર્થાત્ દુઃખ દે, તેને જ કપાય કહે છે. એક રીતે જોતાં આત્મામાં ઉત્પન્ન થતા વિકાર, મોહ–રાગ-દ્વેષ જ કષાય છે અથવા જેનાથી સંસારની
પ્રાપ્તિ થાય તે જ કષાય છે. સુબોધ- એ કપાય કેટલા છે? પ્રબોધ- કષાયના ચાર પ્રકાર છે. ક્રોધ, માન, માયા, લોભ. સુબોધ- ઠીક, તો આપણે જે ગુસ્સો કરીએ છીએ તેને જ કોઈ કહેતા હશે? પ્રબોધ- હા, ભાઈ ! એ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. સુબોધ- તો આપણને એ ક્રોધ આવે છે જ શા માટે? પ્રબોધ- મુખ્યપણે જ્યારે આપણને એમ લાગે છે કે આણે મારું બૂરું કર્યુ ત્યારે
આત્મામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. એવી રીતે જ્યારે આપણે એમ માની લઇએ છીએ કે દુનિયાની વસ્તુઓ મારી છે, હું એનો સ્વામી છું, ત્યારે
માન થઈ જાય છે. સુબોધ- એ માન શું છે? પ્રબોધ- અભિમાનને જ માન કહે છે. લોકો કહે છે કે આ બહુ અભિમાની છે,
એને પોતાના ધન અને શક્તિનું બહુ અભિમાન છે. પૈસા, શરીર વગેરે બાહ્ય પદાર્થો ટકનાર તો છે નહિ, આપણે નકામા જ અભિમાન કરીએ છીએ.
૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com