Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 353
________________ ૩૩૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) . भूतसत्तेति, तत्र वेदपदानां चार्थं न जानासि, चशब्दाद्युक्तिं हृदयं च तेषां' तवसंशयनिबन्धनानां वेदपदानामयमर्थः, 'स्वप्नोपमं वै सकल 'मित्यादीन्यध्यात्मचिन्तायां मणिकनकाङ्गनादिसंयोगस्यानियतत्वादस्थिरत्वादसारत्वाद्विपाककटुकत्वादास्थानिवृत्तिपराणि वर्तन्ते, न तु तदत्यन्ताभावप्रतिपादकानि इति, तथा ‘द्यावा पृथिवी'त्यादीनि तु सुगमानि, तथा सौम्य ! न 5 च चक्षुरादिविज्ञाने परमाणवो नावभासन्ते, तेषां तुल्यातुल्यरूपत्वात्, तुल्यरूपस्य च चक्षुरादिविज्ञाने प्रतिभासनात्, न च तुल्यं रूपं नास्त्येव, तदभावे खल्वेकपरमाणुव्यतिरेकेणान्येषाम રહે તો ફરી તેવા અંશો માનવાના કારણે અનવસ્થા ઊભી થાય. આ રીતે બંને વિકલ્પોમાં સ્વતંત્ર અવયવી સિદ્ધ થતો ન હોવાથી તે છે જ નહિ. એટલે જ્ઞાનનો વિષય પણ બનતો નથી.) આથી પરમાણુસમૂહ જ ન હોવાથી ભૂતોનું અસ્તિત્વ જ નથી. આ પ્રમાણેની હે વ્યક્ત ! 10 તારી જે માન્યતા છે તેનું કારણ એ છે કે તે વેદપદોના અર્થોને, યુક્તિને અને રહસ્યને તું જાણતો નથી. તારા સંશયના કારણભૂત એવા તે વેદપદોનો આ અર્થ તારે જાણવો કે – “વખો - વૈ સત્ત' વગેરે પદો અધ્યાત્મની વિચારણામાં મણિ-સુવર્ણ-સ્ત્રી વગેરેનો સંયોગ અનિયત, અસ્થિર, અસાર અને પરિણામે કડવો હોવાથી આ મણિ-સુવર્ણ-સ્ત્રી વગેરે પરના રાગનો નાશ કરાવનારા છે, પણ મણિ વગેરેનો સર્વથા અભાવ જણાવનારા નથી. તથા “ઘાવી પૃથિવી” વગેરે પદોના 15 અર્થ સુગમ જ છે જે પંચભૂતની સત્તા જણાવનારા છે જ. તથા હે સૌમ્ય ! ચક્ષુ વગેરેના જ્ઞાનમાં પરમાણુઓ દેખાતા નથી એવું નથી અર્થાત્ દેખાય જ છે કારણ કે તે પરમાણુઓનું બે રૂપ છે – તુલ્યરૂપ-સાધારણરૂપ (પરમાણુત્વ) અને અતુલ્યરૂપ=અસાધારણરૂપ. તેમાં પરમાણુઓ પોતાના તુલ્યરૂપે ચક્ષુ વગેરે જ્ઞાનમાં દેખાય છે (અહીં વિવિક્ષિતપરમાણુ સાથે અન્યપરમાણુઓ પરમાણુત્વ રૂપે તુલ્ય છે. તેથી પરમાણુત્વ એ 20 તુલ્યરૂપ છે. તથા દરેક પરમાણુઓને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ પણ છે જે બીજાથી જુદું હોવાથી અસાધારણરૂપ કહેવાય છે.) વળી, તુલ્યરૂપ નથી એવું પણ ન કહેવાય કારણ કે પરમાણુઓનું પરસ્પર તુલ્યત્વ જો ન માનો તો, એક પરમાણુ સિવાયના અન્ય પરમાણુઓ પરમાણુ રૂપે રહેશે નહિ. માટે દરેક પરમાણુઓનું પરસ્પર (પરમાણુત્વરૂપ) તુલ્યત્વ માનવું જ રહ્યું. વ્યક્ત ઃ તમે જે તુલ્યત્વ કહો છો તે તુલ્યત્વ એટલે તદ્રવ્યવૃત્તિ અને તે પણ વાસ્તવિક 25 નથી, પરંતુ કલ્પિત જ છે. (તદ્ = વિવક્ષિતપરમાણુ, અન્ય = વિવક્ષિતપરમાણુથી અન્ય એવા બીજા પરમાણુઓ + ચણુકાદિ, વ્યાવૃત્તિ = બીજા પરમાણુઓ + ચણકાદિથી જુદાપણું. દરેક પરમાણુઓ અન્ય એવા પરમાણુઓ અને ભણકાદિથી જુદા છે માટે દરેકમાં તદન્યવ્યાવૃત્તિ રહેલી છે આનું નામ જ તુલ્યત્વ.)

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414