Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 356
________________ આલયવિજ્ઞાનનું સામર્થ્ય એ તુલ્યબુદ્ધિનું કારણ નથી (નિ. ૬૧૨) ** ૩૩૯ गतशक्तिपरिपाकसमनन्तरोपजातविकल्पविज्ञानसामर्थ्यमस्यास्तुल्यबुद्धेः कारणं, स्वलक्षणादस्वलक्षणानुपपत्तेः, नापि पारम्पर्येण तदुत्पत्तिर्युज्यते, स्वलक्षणसामान्यलक्षणातिरिक्तवस्त्वभावेन पारम्पर्यानुपपत्तेः, बाह्यनीलाद्यभावे च शक्तिविपाकनियमो न युज्यते, नियामकसहकारिकारणाभावात् । किंच-आलयात्पीतादिसंवेदनजननशक्तयो भिन्ना वा स्युरभिन्ना वा ?, यद्यभिन्नाः सर्वैकत्व - 5 જ્ઞાનવાદી : (આલય એટલે આધાર, તરૂપ વિજ્ઞાન તે આલયવિજ્ઞાન, અર્થાત્ ઘટ, પટ વિગેરે પદાર્થોનું જુદું જુદું જે જ્ઞાન છે, તે જુદા જુદા જ્ઞાનને ઉત્પન્ન કરનાર શક્તિનો આધાર. અનાદિકાળથી પ્રવૃત્ત એવું ચૈતન્ય એ આલયવિજ્ઞાન કહેવાય છે જેણે મનસ્કાર નામે ઓળખાય છે.) આલયવિજ્ઞાનમાં રહેલી શક્તિનો પરિપાક થયા પછી “આ તુલ્ય છે” એવા પ્રકારના વિકલ્પોને ઉત્પન્ન કરવાનું આલયવિજ્ઞાનનું સામર્થ્ય જ તુલ્યબુદ્ધિનું કારણ છે, પણ 10 બાહ્યપદાર્થોમાં રહેલ તુલ્યત્વ તુલ્યબુદ્ધિનું કારણ નથી. : ભગવાન ઃ એવું સંભવિત નથી કારણ કે આલયવિજ્ઞાનમાં રહેલ સામર્થ્ય એ સ્વલક્ષણરૂપ છે, અર્થાત્ સકલ સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત છે. આવા સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત એવું સામર્થ્ય એ માત્ર વિજાતીયથી વ્યાવૃત્તિરૂપ તુલ્યત્વને કે જે સ્વલક્ષણ નથી, તેને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? અર્થાત્ ન કરી શકે. માટે તુલ્યબુદ્ધિમાં આ સામર્થ્ય કારણ નથી પણ પદાર્થમાં રહેલ 15 તુલ્યત્વ જ કારણ છે. (જ્ઞાનવાદી : આલયવિજ્ઞાન સકલસજાતીય-વિજાતીયવ્યાવૃત્તરૂપ સ્વલક્ષણથી કોઈક અન્ય વસ્તુ ઉત્પન્ન કરશે અને તે અન્ય વસ્તુ સામાન્યલક્ષણરૂપ તુલ્યત્વને ઉત્પન્ન કરશે. આમ આલયવિજ્ઞાનગત સામર્થ્ય પરંપરાએ તુલ્યબુદ્ધિને ઉત્પન્ન કરશે.) ભગવાન ઃ આ પણ ઘટતું નથી કારણ કે તમે તો સ્વલક્ષણ અને સામાન્યલક્ષણ સિવાય 20 અન્ય ત્રીજી વસ્તુ માની જ નથી કે જેથી પરંપરા ઘટે. વળી આલયવિજ્ઞાનમાં રહેલ શક્તિનો પરિપાક પણ બાહ્ય એવા નીલાદિ પદાર્થો વિના ઘટી શકતો નથી કારણ કે શક્તિનો પરિપાક થાય તે માટે નિયામક એવું સહકારી કારણ જ નથી. (આશય એ છે કે અમુક કાળે જ તુલ્યબુદ્ધિ થાય છે અમુક કાળે નથી થતી તેમાં તમે શક્તિનો પરિપાક કારણ માનો છો, પરંતુ તે શક્તિપરિપાક પણ બાહ્યનીલાદિ પદાર્થ વિના ઉત્પન્ન થઈ શકે નહિ, અન્યથા હંમેશા એ 25 શક્તિનો પરિપાક માનવો પડે, જે ઘટતું નથી. માટે બાહ્યપદાર્થો માનવા જ પડે.) વળી, અમે તમને પૂછીએ કે પીતાદિના એટલે કે પીત-નીલ વિગેરે જુદા જુદા સંવેદનને ઉત્પન્ન કરનારી શક્તિ આલયથી ભિન્ન છે કે અભિન્ન જો અભિન્ન છે તો બધી શક્તિઓ આલયવિજ્ઞાનથી અભિન્ન હોવાથી પરસ્પર અભિન્ન થશે અને તો બધી શક્તિઓ એક જ થઈ જશે, જો એક ન માનો તો બધી શક્તિઓનો એક આલય સાથે અભેદ કેવી રીતે 30

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414