Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 6
________________ આત્માની ઉન્નતિના ઉપાયો શારીરિક ઉન્નતિમાં તે જનતા સતત પ્રવૃત્ત છે જ! આ કલિકાલ સર્વર ભગવતે સાડા ત્રણ કરોડ પુણ્ય પ્રત્યે શા માટે રચા? કહે કે જનતાને આત્માની ઉન્નતિના ઉપાયો બતાવવા. કઈ જનતાને ? કેવળ શરીરની જ ઉન્નતિમાં રાચીમાચી રહેવાથી થતા ભાવિ અનર્થોને નહિ સમજનારી જનતાને. શાસ્ત્રકારોએ એ જનતાને ત્યાં સુધી કહ્યું કે યદિ શરીરની ઉન્નતિની ઈચ્છા હોય તે પણ આત્માની ઉન્નતિને ઓળખવી આવશ્યક છે. આત્મીય ઉન્નતિના ઉપાયો જ જાણવા જરૂરી છે. કેમકે શારીરિક ઉન્નતિ પણ ધર્મથી જ ઉપલબ્ધ છે. આનો અર્થ એ નહિ લેતા કે શારીરિક ઉન્નતિ તથા તેના ઉપાયે તેઓએ બતાવ્યા છે. શારીરિક ઉન્નતિમાં તે જનતા સતત પ્રવૃત્ત છે જ, એવું સમજનાર તેઓએ જનતા તે પ્રવૃત્તિથી “આધિ, વ્યાધિ અને ઉપાધિથી પરિપૂર્ણ એવા ' આ સંસારમાં રવડી ન જાય એ માટે આત્મિક ઉન્નતિના ઉપાય બતાવ્યા છે. પ્રથમ શારીરિક કાન્તિ પરત લક્ષ આપીએ શાસ્ત્રકાર મહારાજા કહે છે કે શરીરની કાતિ પણ ધર્મથી જ પ્રાપ્ય છે. શારીરિક કાતિમાં પણ પુણ્યભેદ છે. સૂર્ય (વિમાન) લગભગ નવસે જન દૂર છે, છતાં તેની સામે જોઈ શકાતું નથી. તો સમીપસ્થ હોય તો જોઈ જ કેમ શકાય? જેના ઘર (સૂર્યવિમાન)ની સામે મીટ ન મંડાય એ ઘરના માલિક ઈન્દ્ર જે પાસે ઉભા હોય તે તેમના સામે કેમ જ જોઈ શકાય? સૂર્યને પ્રકાશ તો તેની પાસે કાંઈ હિસાબમાં નથી. એ ઈન્દ્ર મહારાજનું મૂળસ્વરૂપ જવાની “દેવે મૂળ સ્વરૂપે અહિં નથી આવતા એમ જાણ નાર' શ્રી ભરત ચક્રવર્તીને ભાવના થઈ. ભરત મહારાજ તે જેવા ઈન્દ્રને વિજ્ઞપ્તિ કરે છે. સાધર્મીની ઈચ્છા પૂરી કરવી એ ફરજ સમજનાર ઈન્દ્ર મહારાજ જાણે છે કે એ સ્વરૂપ ભરતજીથી જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42