________________
અને મરુભૂતિ,
રાજાની આ સલાહને અવગણીને તમે ક્ષમા માગવા એની પાસે પહોંચી ગયા છો. તમને એણે પોતાની સંમુખ આવતા જોયા છે. અને એની આંખોમાં ખુન્નસ ઊભરાવા લાગ્યું છે. આ નાલાયક અહીં આવી રહ્યો છે ? આવવા દે એને મારી નજીક. એની હાલત બગાડી ન નાખું તો મારું નામ કમઠ નહીં’
એના મનના આ વિચારોની તમને ક્યાં ખબર છે ? તમે તો સહજભાવે એની નજીક પહોંચીને એના ચરણમાં ઝૂક્યા છો અને એટલું જ બોલ્યા છો કે ‘ભાઈ, મને માફ કરી દો’
અને એણે પળનો ય વિલંબ કર્યા વિના બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને તમારા માથે ઝીંકી દીધો છે. ખોપરી તમારી ફાટી ગઈ છે. તમે ‘ઓહ ! આ જાલિમ વેદના ? શું સહન થાય ?' બસ, આટલા જ દુર્ધ્યાનના શિકાર બન્યા છો અને એ દુર્વ્યાને તમને સીધા હાયણીના પેટમાં ફેંકી દીધા છે.
મરુભૂતિ, તમે ક્ષમાપના કરવા સરળ ભાવે કમઠના ચરણમાં ઝૂક્યા અને કમટે તમને ખતમ કરી નાખવા હાથમાં પથ્થર ઉઠાવી લીધો !
પ્રભુ, આટલું પણ દુર્ધ્યાન જો દુર્ગતિનું કારણ બની જતું હોય તો સતત દુર્ધ્યાનમાં અને દુર્ભાવમાં જ વ્યસ્ત રહેતા મારી તો હાલત જ શી યશે ? એક વિનંતિ કરું તને ? કાં તારું મન તું મને આપી દે અને કાં તો મારું મન તું લઈ લે. એ સિવાય મારું દુર્ગતિગમન સ્થગિત થઈ જાય એવું મને તો નથી લાગતું !
૧૫