Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 68
________________ દીકરાના શિરે પિતૃહત્યાનું કલંક ચડે એ પહેલાં હું જ શા માટે જીવન સમાપ્ત ન કરી દઉં ?' આ ખ્યાલ સાથે પિતાજીએ પોતાની આંગળી પર રહેલ વીંટીમાંનું ઝેર ચૂસી લીધું છે અને જીવન સમાપ્ત કરીને પરલોકની વાટે સંચરી ગયા છે. પણ, મહારાજા કોણિક, તીર્થકરના આત્મા એવા તમારા પિતાજી પ્રત્યેય તમારા અંતરમાં પ્રગટેલી દ્વેષના દાવાનળની ચિનગારી તમારા કોક ભવમાં શ્રેણિકના જીવ દ્વારા હેરાનગતિ પામી ચૂકેલા તમે ત્યાં નિયાણું કરી બેઠા હતા કે ‘તપના આ ફળ તરીકે આવતા જનમમાં હું એનો વધ કરનારો થાઉં” વેરના એ જનમમાં તમે વાવેલાં બી આ જનમમાં હિંસાનું ફળ લાવી ચૂક્યા હતા. ઓહ! વેરની આ હદની ભયંકરતા? મહારાજા કોણિક ! તમને હાથમાં કુહાડી લઈને આવતાં જોઈને કેદી અવસ્થામાં રહેલ તમારા પિતા મહારાજા શ્રેણિકે તમારા શિરે પિતૃહત્યાનું પાતક ન લાગી જાય એ ખ્યાલ પોતાની આંગળીમાં રહેલ વીંટીમાંનું ઝેર ચૂસી લીધું છે. પ્રભુ, ક્રોધ, વૈર અને હિંસાની ખતરનાક ત્રિપુટીને જન્મ આપી દેતી અપેક્ષા, આવેશ અને અહંકારની ત્રાસદાયક ત્રિપુટીથી દૂર રહેવામાં મને સફળતા મારા પુરુષાર્થથી નથી જ મળવાની. તારું શરણ એ જ મારી મોટી તાકાત છે. હું તારે શરણે છું. તું મને શાંતિ-સમાધિ-ઉપશમભાવની ત્રિપુટી આપી જ દે. ૬૭.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100