________________
‘પિતાજી ! મેં બીજું તો કાંઈ નથી કર્યું પરંતુ નગરની બહાર જે સુદર્શન નામના મુનિરાજ છે ને, એમના માટે મેં લોકોને એમ કહ્યું છે કે ‘આ મુનિરાજને તો એક સ્ત્રી સાથે મેં ક્રીડા કરતા જોયા છે.’
સાથે જ તેં જોયા છે
‘તો?’
મેં તો મજાકમાં આમ કહ્યું છે'
‘અરર...વેગવતી, આ તેં શું કરી દીધું છે ? એક પવિત્ર મુનિરાજ પર આવું આળ ? અત્યારે ને અત્યારે જ તું એ મુનિરાજ પાસે પહોંચી જા. એમની હૃદયપૂર્વક માફી માગી લે અને ઉપસ્થિત લોકો સમક્ષ ખુલાસો પણ કરી દે કે મેં જે કાંઈ કહ્યું છે એ મજાકમાં જ કહ્યું છે.’ શ્રીભૂતિએ ક્રોધમાં આવી જઈને તને સ્પષ્ટ આજ્ઞા જ કરી દીધી છે. મનથી ભારે ભયભીત થઈ ગયેલ થરથર કાંપતી તું તુર્ત જ મુનિ ભગવંત પાસે આવી છે. ‘મશ્કરીમાં મેં આપના ઉપર અસત્ આરોપ મૂકીને કલંક લગાડ્યું છે. બાકી આપ તો સંપૂર્ણપણે નિર્દોષ જ છો. મારા એ અધમતમ અપરાધની આપ મને ક્ષમા આપો' ત્યાં હાજર રહેલ લોકો સમક્ષ તે એ મુનિવરની ક્ષમા તો માગી લીધી છે પન્ન વેગવતી, તારા એ જધન્યતમ અપરાધે તને સીતાના ભવમાં મોકલીને એવા જ કલંકની શિકાર બનાવી છે કે જેનાથી મુક્ત થતાં તારા નવનેજાં પાણી ઊતરી ગયા છે.
વેગવતી ! પવિત્ર મુનિવર પર તે મૂકી દીધેલા આળની સજ્જ કરવા શાસનદેવતાએ તારા મુખને એકદમ શ્યામ કરી દીધું છે.
પ્રભુ, કેરુળતા મારા જીવનમાં એ સર્જાઈ છે કે મારી પીડાની કલા પણ જો તુચ્છ છે તો મારા આનંદની કલા પણ તુચ્છ છે. અને આ તુચ્છ કક્ષાની પીડાએ અને આનંદે મને તુચ્છ ભવોની જ ભેટ ધરી છે. એક વિનંતિ કરું
તને ? મને તું પીડાની અને આનંદની એ મહાન કક્ષા દે કે જે મને મહાન બનાવીને જ રહે.
૭૧