________________
પિતા
રિપ જ
સાધ્વી રૂક્ષ્મિ!
સંસારી અવસ્થામાં તમે રાજકુમારી તરીકે જીવન વ્યતીત કર્યું છે. બન્યું છે એવું કે પાણિગ્રહણ થતાંની સાથે જ તમારા પતિનું મોત થયું છે. તમે વિધવા બન્યા છો. સ્ત્રી શરીર, અદૂભુત રૂપ અને યુવાનવય. તમને એમ લાગ્યું છે કે આ સ્થિતિમાં શીલ ટકાવી રાખવું અશક્ય જ છે અને એ ખ્યાલે તમે પિતા પાસે ચિતામાં પ્રવેશ કરવાની રજા માગી છે.
‘પુત્રી ! ચિતામાં પ્રવેશ કરીને ઉત્તમ એવું આ જીવન સમાપ્ત કરી દેવાને બદલે તું સર્વજ્ઞના ધર્મમાં રત થઈ જા અને શીલવ્રતનું પાલન કર. પ્રાપ્ત માનવજીવન સફળ બનીને જ રહેશે.'
પિતા તરફથી મળેલ આ સલાહને સ્વીકારીને તમે ધર્મમાં રત થઈ ગયા છો અને પૂર્ણ પ્રસન્નતાથી શીલનું પાલન કરી રહ્યા છો. પણ બન્યું છે એવું કે તમારા પિતાજી અચાનક પરલોકની વાટે સંચરી ગયા છે. સંતાનમાં એમને તમે એક જ હતા એટલે મંત્રીઓએ રાજગાદી પર તમને જ બેસાડી દીધા છે. લોકમાં તમે ‘રૂક્મિ રાજા” તરીકે ખ્યાતિ પામ્યા છો.
તમારી રાજસભામાં શીલસન્નાહ નામે એક મંત્રીશ્વર છે. કાયા એમની સશક્ત છે. રૂપ એમનું મસ્ત છે અને વ્યકિતત્વ એમનું આકર્ષક છે અને છતાં પવિત્રતા એમની ગજબનાક છે. એક દિવસ તમે એમની સામે નજર તો નાખી છે પણ એ નજર વિકારસભર છે એની એ મંત્રીશ્વરને ખાતરી થઈ ગઈ છે. એમને એમ લાગી ગયું છે કે
અહીં રહેવામાં મારા શીલ પર અચૂક ભારે જોખમ છે. હું ય યુવાન છું. રાજા રૂક્ષ્મિ પણ યુવાન છે. કોઈ પણ પળે કાંઈ પણ અનિષ્ટ થઈ શકે છે. બહેતર છે કે એવું કાંઈ બને એ પહેલાં જ હું અહીંથી ભાગી છૂટું.’
રૂમિ રાજા ! તમારી નજર મંત્રીશ્વર શીલસનાહ પર પડી અને તમારું અંતઃકરણ મોહપાશમાં બંધાઈ ગયું.
४८