Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ s નાગશ્રી ! ચંપાનગરીના સોમદેવ વિપ્રની તું પત્ની, સોમદેવના બે નાના ભાઈ સોમભૂતિ અને સોમદત્ત. એ બંનેની પત્નીનાં નામો અનુક્રમે યજ્ઞશ્રી અને ભૂતશ્રી. ત્રણે ય ભાઈઓએ ગૃહવ્યવહારની એવી સ્થિતિ બનાવી છે કે વારાફરતી એક એક દિવસ સર્વે એક એકને ઘેર ભોજન કરવા જઈ રહ્યા છે. એક વખત બન્યું એવું કે નાગશ્રી, બધા તારા ઘરે જમવા આવ્યા છે. ભોજનમાં તે અન્ય દ્રવ્યો તો બનાવ્યા જ છે પરંતુ તેં જે શાક બનાવ્યું છે એ શાક અજાણતાં તારાથી કડવી તુંબડી દૂધી નું બની ગયું છે. અને તેને હિંગ વગેરે દ્રવ્યોથી સારી રીતે વધાર્યું છે. શાક બની ગયા પછી તેમાંથી તેં થોડુંક ચાખ્યું છે ત્યારે તને ખ્યાલ આવ્યો છે કે આ શાક તો કડવું વખ બની ગયું છે ! “આવું શાક તો સહુને જમવામાં શું દેવાય? વળી, આ શાક બનાવવામાં સંપત્તિનો જે વ્યય થયો છે અને એને ય શું જવા દેવાય?' આ વિચારે તે એ શાકને એક અલગ પાત્રમાં રાખી દીધું છે. અને અન્ય દ્રવ્યોથી સહુને જમાડી દીધા છે. આ બાજુ બન્યું છે એવું કે આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરિજીના શિષ્ય ધર્મરુચિ નામના મુનિરાજ મા ખમણ [૩૦ ઉપવાસ] ને પારણે તારે ત્યાં ગોચરી વહોરવા આવી ચડ્યા છે. અને તેં “આ શાક બનાવવામાં થયેલ સંપત્તિનો વ્યય વૃથા ન થાઓ” એ ખ્યાલે કડવી તુંબડીનું એ શાક ધર્મરુચિ મુનિવરને વહોરાવી દીધું છે. એ શાક લઈને મુનિવર ગુરુદેવ પાસે આવ્યા છે અને ગુરુદેવને એ શાક એમણે બતાવ્યું છે. એ શાકને જોતાંની સાથે જ ગુરુદેવને ખ્યાલ આવી ગયો છે કે “આ આહાર તો વિષમિશ્રિત છે? તરત જ એમણે ધર્મરુચિ મુનિવરને કહી દીધું છે કે “વત્સ ! આ આહાર કોક શુદ્ધ સ્થળ પરઠવી દો’ ગુરુદેવની આજ્ઞાને પામીને ધર્મરુચિ મુનિ વનમાં ગયા તો ખરા પણ હાથમાં રહેલ પાત્રમાંથી કોઈ સ્થળે શાકનું એક બિંદુ પડી ગયું છે અને એ બિંદુના સ્વાદથી આકર્ષાઈને ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ ગઈ છે. જ્યાં એ કીડીઓએ એ શાકના બિંદુનો સ્વાદ લેવાનો પ્રયાસ કર્યો છે, એ જ પળે એ તમામ કીડીઓ મરી ગઈ છે. આ જોઈને ધર્મરુચિ મુનિવર વિચારમાં ચડી ગયા છે. “એક બિંદુ પણ જો આટલું પ્રાણઘાતક છે તો આ સમગ્ર શાક તો કેટલા જીવોને ભસ્મસાત્ કરી નાખનારું બની રહેશે? માટે હવે હું કરું શું? બીજા જીવોને સુખ આપું કે મારી જિલ્ડાને સુખ આપું ? જો હું બીજા જીવોને અભય આપું છું અને આ આહાર વાપરી જાઉં છું તો મારી આ જિંદગીનો તો અંત થાય જ છે પરંતુ સાથે સંસારનો પણ અંત થવા સંભવ છે. નહીં તો ઊલટી સંસારની વૃદ્ધિ જ થવાની છે. અથવા જિનાજ્ઞાને સાચવી લેવી કે મારા જીવને બચાવી લેવો? મને તો જિનાજ્ઞા પાળવી જ યોગ્ય લાગે છે. વળી, ગુરુદેવની પણ આજ્ઞા છે કે “શુદ્ધ સ્થળે જઈને આહાર પરઠવી દેવો’ તો મારા પેટ જેવું બીજું શુદ્ધ સ્થળ ક્યાંય જોવામાં આવતું નથી. અલબત્ત, આ આહાર દ્રવ્યથી દુષ્ટ જરૂર છે પણ પરિણામે જીવદયાના રસરૂપ હોવાથી વિશિષ્ટ છે. તેથી હે જીવ ! તું પોતે જ આ આહાર ખાઈ જા.' આ પ્રમાણે ચિંતવી ધર્મરુચિ મુનવિરે સર્પ જેમ રાફડામાં પેસી જાય છે તેમ અદીન મન વડે તે આહાર પોતાના પેટમાં પધરાવી દીધો છે. આહાર આખરે તો વિષમિશ્રિત જ હતો ને ? પેટમાં એ આહાર પહોંચ્યો નથી અને મુનિવરની નસો ખેંચાવાની ચાલુ થઈ નથી. હાડકાં તૂટવા લાગ્યા છે. આંખોના ડોળા બહાર નીકળી ગયા છે. આખું ય શરીર લીલું બનવા લાગ્યું છે પરંતુ મુનિવરની સમાધિ અખંડ છે. સકલ જીવરાશિ પ્રત્યેનો એમનો ४०

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100