Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૯૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
લબ્ધિધારી, ચૌદ પૂર્વી સાધુને જ આહારક શરીર હોય છે અને તે પણ જ્યારે બનાવે ત્યારે જ હોય છે. તેની સમય મર્યાદા પણ અલ્પ છે અને સંખ્યા પણ નિયત છે. આહારક શરીરનો વિરહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે અર્થાતુ ક્યારેક છમાસ પર્યત આહારક શરીર હોતું નથી.
બદ્ધ આહારક શરીરનું પરિમાણ - જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. અર્થાત્ બે હજાર થી નવ હજાર સુધીની કોઈપણ સંખ્યામાં હોય.
મુક્ત આહારક શરીરનું પરિમાણ - અનંત હોય છે. તેનું પરિમાણ અનંત સંખ્યાની અપેક્ષા ઔદારિક શરીરની સમાન હોય છે. અનંતના અનંત ભેદ છે. વાસ્તવમાં મુક્ત ઔદારિકથી અનંતમા ભાગ જેટલા મુક્ત આહારક હોય છે.
તૈજસ શરીર સંખ્યા પરિમાણ :१४ केवइया णं भंते ! तेयगसरीरा पण्णता?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ सिद्धेहि अणंतगुणा सव्वजीवाणं अणंत- भागूणा । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ सव्वजीवेहि अणंतगुणा जीव- वग्गस्स अणंतभागो। શબ્દાર્થ – અનંતભા |= અનંતમા ભાગે ન્યૂન છે, સબ્સનાહિં = સર્વ જીવની સંખ્યા કરતાં, અતિ ગુણT = અનંતગુણ અધિક, નીવવા = જીવ વર્ગનો, સર્વ જીવોની સંખ્યાનો વર્ગ કરતાં જે સંખ્યા આવે તેથી, અતિભાનો = અનંતમો ભાગ જાણવો.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીર કેટલા પ્રકારના છે?
ઉત્તર- તેજસ શરીર બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ તૈજસ શરીર અનંત છે. તે કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે, દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગુણ અધિક અને સર્વ જીવોથી અનંતમાભાગે ન્યૂન છે.
મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક અને જીવવર્ગના અનંતમા ભાગે છે.