Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 594
________________ પર શ્રી અનુયોગદ્વાર સૂત્ર ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- સમય થતાં જે જીવે જન્મધારણ કર્યો છે, તેવો તે જીવ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુસાર ક્ષપણા પદને શીખશે, વર્તમાનમાં શીખતો નથી, તેવું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા કહેવાય છે. તેના માટે દષ્ટાંત છે ? હા, જે ઘડામાં વર્તમાનમાં ઘી કે મધ ભર્યું નથી પણ ભવિષ્યમાં તેમાં ઘી કે મધ ભરવાની અપેક્ષાએ અત્યારે તેને ઘીનો કે મધનો ઘડો કહેવો. આ ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા છે. ४१ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा ? जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा - जहा जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए तहा भाणियव्वा जाव से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा । से तं णोआगमओ दव्वज्झवणा । से तं दव्वज्झवणा । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય આય જેવું જ સ્વરૂપ ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું જાણવું અર્થાત્ લૌકિક, કુપ્રાવાચનિક, લોકોત્તરિક આવા ત્રણ ભેદ અને તે પ્રત્યેકના સચિત્ત, અચિત્ત, મિશ્ર તેવા પુનઃ ત્રણ ત્રણ ભેદ જાણવા. આ સ્વરૂપે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય ક્ષપણા અને દ્રવ્ય ક્ષપણાનું વર્ણન પૂર્ણ થાય છે. ભાવક્ષપણા ઃ ४२ से किं तं भावज्झवणा ? भावज्झवणा दुविहा पण्णत्ता, आगमओ य णोआगमओ य । તેં નહીં ભાવાર્થ :- પ્રશ્ન– ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવક્ષપણા, (૨) નોઆગમથી ભાવક્ષપણા. ४३ से किं तं आगमओ भावज्झवणा ? आगमओ भावज्झवणा - झवणापयत्थाहिकारजाणए उवउत्ते । से त्तं आगमओ भावज्झवणा । ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– 'ક્ષપણા' આ પદના અર્થના ઉપયોગવાન જ્ઞાતા આગમથી ભાવક્ષપણા છે. આ આગમથી

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642