Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 595
________________ 'પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-ક્ષપણા નિક્ષેપ 1 પ૭૭ ] ભાવ પણાનું સ્વરૂપ છે. ४४ से किं तं णोआगमओ भावज्झवणा ? णोआगमओ भावज्झवणा दुविहा पण्णत्ता, तं जहा- पसत्था य अप्पसत्था य । ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃ ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- નોઆગમતઃ ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રશસ્ત, (૨) અપ્રશસ્ત. ४५ से किं तं पसत्था ? पसत्था चउव्विहा पण्णत्ता, तं जहा- कोहज्झवणा माणज्झवणा मायज्झवणा लोभज्झवणा । से तं पसत्था । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે? | ઉત્તર- પ્રશસ્ત ભાવક્ષપણાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધક્ષપણા, (૨) માનક્ષપણા, (૩) માયાપણા, (૪) લોભક્ષપણા. |४६ से किं तं अप्पसत्था ? अप्पसत्था तिविहा पण्णत्ता, तं जहा- णाणज्झवणा सणज्झवणा चरित्तज्झवणा । से तं अप्पसत्था । से तं णोआगमओ भावज्झवणा । से तं भावज्झ- वणा । से तं झवणा । से तं ओहणिप्फण्णे । ભાવાર્થ :- પ્રશ્ન- અપ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અપ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનક્ષપણા– જ્ઞાનનો ક્ષય, (૨) દર્શનક્ષપણા- દર્શનનો ક્ષય (૩) ચારિત્રક્ષપણા–ચારિત્રનો ક્ષય. આ અપ્રશસ્ત ક્ષપણા છે. આ રીતે નોઆગમથી ભાવક્ષપણા, ભાવક્ષપણા, ક્ષપણા અને ઓધ નિષ્પન્ન નિક્ષેપનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ થયું. વિવેચન : કર્મ નિર્જરા, ક્ષય અથવા અપચયને ક્ષપણા કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યક્ષપણા નામાદિ 'આય' પ્રમાણે છે. માટે સૂત્રમાં તે જોવાની ભલામણ (અતિદેશ) છે. પરંતુ ઉભયવ્યતિરિક્ત નોઆગમ લૌકિક દ્રવ્ય આયમાં સચિત્ત-હાથી, ઘોડા, દાસ, દાસીની પ્રાપ્તિ કહી છે. તો અહીં તે દાસ, દાસી, હાથી, ઘોડા વગેરેનું દૂર થવું–નષ્ટ થવું, ક્ષય થવો, તેમ અર્થ કરવો. કારણ કે ક્ષપણા, આયથી પ્રતિપક્ષી (વિરોધી) અર્થ ધરાવે છે.

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642