Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 602
________________ [ ૫૪૪ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર (૭) ભમરસમ - અનેક પુષ્પોમાંથી થોડો-થોડો રસ લઈ ઉદરપૂર્તિ કરનાર ભ્રમરની જેમ સાધુ પણ અનેક ઘરમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરી જીવનનિર્વાહ કરે છે, માટે તે ભ્રમરસમ છે. (૮) મૃગસમ – જેમ મૃગ, હિંસક પશુ કે શિકારીઓથી હંમેશાં ભયભીત રહે છે, તેમ સાધુ હમેશાં સંસાર અને પાપથી ભયભીત રહે છે, માટે મૃગસમ છે. (૯) ધરક્ષિસમ – પૃથ્વી જેમ બધુ સહન કરે છે તેમ સાધુ પણ તિરસ્કાર, ખેદ, કઠોર વચન વગેરે સમભાવથી સહન કરે છે, માટે પૃથ્વીસમ છે. (૧) જલરુહસમઃ- જેમ કમળ કાદવમાં જન્મે, કાદવમાં વૃદ્ધિ પામે છતાં કાદવથી નિર્લિપ્ત રહે છે, તેમ સાધુ કામભોગમય સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત હોય છે, માટે કમળસમ છે. (૧૧) રવિસમ - સૂર્ય સર્વ ક્ષેત્રને સમાનરૂપે પ્રકાશિત કરે છે, તેમ સાધુ જ્ઞાનરૂપી પ્રકાશ-ઉપદેશ સર્વ લોકોને સમાનરૂપે પ્રદાન કરે છે, માટે રવિસમ છે. (૧૨) પવનસમ – પવન–વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિવાળો હોય છે, તેમ સાધુપણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહારી હોય છે, માટે પવનસમ છે. શ્રમણનો પર્યાય શબ્દ સુમન :१० तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणाऽवमाणेसु ॥१३२॥ से तं णोआगमओ भावसामाइए । से तं भावसामाइए । से तं सामाइए । से तं णामणिप्फण्णे । શબ્દાર્થ તો સમો = સમણ-શ્રમણ તો જ કહેવાય, ન સુળિો = જો સુમન હોય, તો = સ્વજન માતા-પિતા વગેરે તથા, નખે = સામાન્ય જન. ભાવાર્થ :- પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય જો તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે સ્વજન અને પરજનમાં સમભાવી હોય, માન-અપમાનમાં પણ સમ હોય. આ રીતે નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થાય છે. વિવેચન : આ ગાથામાં પ્રકારાન્તરથી શ્રમણના લક્ષણ બતાવવાની સાથે તેની યોગ્યતાનું દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં શ્રમણ, સમમન = સમન અને શમન આ ત્રણ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે.

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642