Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
|
૪૬૭ |
શબ્દનયની આ દષ્ટિને પરિમાર્જિત કરતાં સમભિરૂઢ કહે છે કે તમારું કથન પણ યુક્તિયુક્ત નથી. ઝવેરાઃ આ સમાસ પદ છે. તેનો વિગ્રહ બે રીતે થઈ શકે—બે સમાસ તેમાં સંભવે છે. તપુરુષ સમાસ અને કર્મધારય સમાસધર્મપ્રવેશ માં તપુરુષ સમાસ છે તેમ માનવામાં આવે તો ત્યાં સપ્તમી તપુરુષ સમાસ થાય છે. જેમ 'વને હપ્તાવિ વનદિસ્તી'–વનમાં હસ્તિ–વનહસ્તિ કહેવાય છે. અહીં સપ્તમીમાં આધાર–આધેય ભિન્ન હોય છે. ધાર્તિાનું પ્રવેશઃ ધર્મપ્રવેશ ધર્માસ્તિકાયમાં પ્રદેશ તે ધર્મપ્રદેશ. આ સપ્તમી તપુરુષમાં ધર્માસ્તિકાય આધાર છે અને પ્રદેશ આધેય છે. ૩ વરાળ = કુંડામાં બોર- તેમાં ડું આધાર છે બોર આધેય છે. તે આધાર–આધેય ભિન્ન-ભિન્ન હોય છે. ધર્મસ્તિકાયાદિના પ્રદેશમાં સપ્તમી તપુરુષ સમાસ કરતાં ધર્માસ્તિકાય અને તેના પ્રદેશ સર્વથા ભિન્ન થશે. આધાર-આધેય ભિન્ન હોય છે. પ્રદેશ અને દ્રવ્યમાં ભિન્નતાની આપત્તિ ન આવે માટે તત્પરુષ સમાસ માનવો ઉચિત નથી.
કર્મધારય સમાસ છે તેમ કહેશો તો 'ધર્મ પ્રવેશઃ ધર્મપ્રવેશ:' અહીં સમાનાધિકરણ થઈ જાય છે. થોડી વિશેષતા સાથે કર્મધારય સમાસ કરવો જોઈએ. તે આ પ્રમાણે થશ્વ પ્રવેશશ્વ પર પ્રવેશ: ધ ધર્માત્મક પ્રદેશ સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન થઈને ધર્માત્મક કહેવાય છે. ધર્માસ્તિકાયના એક દેશથી અભિન્ન થઈને નહીં. તે જ રીતે અધર્માત્મક પ્રદેશ સમસ્ત અધર્માસ્તિકાયથી અભિન્ન હોવાથી અધર્માત્મક કહેવાય છે. જીવાસ્તિકાયમાં પૃથક–પૃથક અનંત જીવ છે. જીવપ્રદેશ સકલ જીવાસ્તિકાયનો એકદેશ નથી પણ જીવાસ્તિકાયના એકદેશરૂપ એક જીવનો દેશ છે. આ રીતે સમસ્ત દ્રવ્યથી અભિન્ન હોવાથી પ્રદેશ તે તે દ્રવ્યાત્મક છે. તેવી વિશેષતા સાથે કહેવું જોઈએ.
એવંભૂતનય સમભિરૂઢ નયને કહે છે તમારી આ વાત માનવી ઉચિત નથી. સર્વ દ્રવ્ય, પ્રદેશની કલ્પનાથી રહિત, પરિપૂર્ણ, નિરવશેષ, નિરવયવ તથા એક દ્રવ્ય છે. એવંભૂત નયની દષ્ટિએ દેશ-પ્રદેશ અવસ્તુ છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને પ્રત્યેક જીવ દેશ-પ્રદેશ રહિત અખંડ દ્રવ્ય છે.
સાતે નયના પ્રદેશ વિષયક મતો સંક્ષેપમાં આ પ્રમાણે છે– (૧) નૈગમનય-પu yવેશઃ શરુ પ્રવેશ: I (૨) સંગ્રહનય-પવાના પ્રવેશ: પત્તપ્રદેશઃ (૩) વ્યવહારનય-પંવિધપ્રવેશ: I (૪)
જુસૂત્રનય- મતવ્ય પ્રવેશ: | (૫) શબ્દનય- થર્મવેરા: 8 થર્વવેશI () સમભિરૂઢ નય- થર્વશ્વ પ્રવેશa સ ાઃ થર્વક , (૭) એવંભૂતનય- દેશ પ્રદેશને અવસ્તુ માને છે, ધર્માદિ દ્રવ્ય અખંડ છે.
આ પ્રમાણે આ સાતે નય પોત-પોતાના મતની સત્યતા સિદ્ધ કરવા કટિબદ્ધ થાય અને દુરાગ્રહી બને તો તે દુર્નય કહેવાય. સાતે નય પોતાના નયની સ્થાપના સાથે અન્ય નયની ઉપેક્ષા કરે, તેને ગૌણ બનાવે તો સાપેક્ષ સ્થિતિમાં તે સુનય કહેવાય છે.
उदधाविय सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥