Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-શપણા નિક્ષેપ
| પ૨૭ ]
|८ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे सव्वागाससेढी । से तं जाणयसरीर भवियसरीर वइरिते दव्वज्झीणे । से तं णोआगमओ दव्वज्झीणे । से तं दव्वज्झीणे। ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર-સર્વાકાશશ્રેણી, જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીણ રૂપ છે. આ નોઆગમતઃ દ્રવ્ય અક્ષીણનું વર્ણન છે. આ રીતે દ્રવ્ય અક્ષણનું કથન પૂર્ણ થાય છે. વિવેચન :
આ સૂત્રોમાં નામ, સ્થાપના અને દ્રવ્ય અક્ષીણનું વર્ણન કર્યું છે. તે વર્ણન દ્રવ્યઅધ્યયન અને દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત સૂત્રથી તેનું સ્વરૂપ જાણવા ભલામણ કરી છે.
તવ્યતિરિક્તમાં સર્વાકાશ શ્રેણી દર્શાવી છે. ક્રમબદ્ધ એક–એક પ્રદેશની પંક્તિને શ્રેણી કહે છે. લોક–અલોકરૂપ અનંતપ્રદેશી સર્વ આકાશ દ્રવ્યની શ્રેણીમાંથી પ્રતિસમયે એક–એક આકાશ પ્રદેશ બહાર કાઢવામાં આવે તો અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ વ્યતીત થવા છતાં તે શ્રેણી ક્ષીણ થતી નથી. તેથી ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય અક્ષણમાં સર્વાકાશની શ્રેણીનું ગ્રહણ કર્યું છે.
ભાવઅક્ષીણ :| ९ से किं तं भावज्झीणे ? भावज्झीणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ – પ્રશ્ન ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભાવ અક્ષીણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી (૨) નોઆગમથી. १० से किं तं आगमओ भावज्झीणे ? आगमओ भावज्झीणे जाणए उवउत्ते । से तं आगमओ भावज्झीणे । ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જે જ્ઞાયક(જ્ઞાતા) ઉપયોગયુક્ત છે, જે જાણે છે અને ઉપયોગ સહિત છે, તે આગમતઃ ભાવ અક્ષણ છે. |११ से किं तं णोआगमओ भावज्झीणे । णोआगमओ भावज्झीणे