Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૧૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર-દ્રવ્યસમવતારના બે ભેદ છે, તે આ પ્રમાણે છે–આગમત દ્રવ્યસમવતાર અને નોઆગમતઃ દ્રવ્યસમવતાર યાવત્ ભવ્યશરીર નોઆગમત દ્રવ્યસમવતાર સુધીનું વર્ણન આવશ્યકની સમાન જાણવું. | ४ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे तिविहे पण्णत्ते, तं जहाआयसमोयारे, परसमोयारे, तदुभयसमोयारे । सव्वदव्वा वि य णं आयसमोयारेणं आयभावे समोयरति, परसमोयारेणं जहा कुंडे बदराणि, तदुभयसमोयारेणं जहा घरे थंभो आयभावे य, जहा घडे गीवा आयभावे य । શબ્દાર્થ – ભાવે = આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ, સોયાંતિ = રહે છે, સમાવિષ્ટ થાય છે, પરસમોચાઈ = પર સમવતારની અપેક્ષાએ, નદી = જેમ, તે ડામાં, વખિ = બોર, તકુમયસનોથા = તદુભય સમવતારની અપેક્ષાએ, નહીં = જેમ, કરે = ઘરમાં, કંબો = થાંભલો, ન પડે જવા = જેમ ઘડામાં ગ્રીવા, આવભાવે ય = (તેમ) પરભાવ અને આત્મભાવમાં રહે છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારના ત્રણ ભેદ છે. જેમ કે (૧) આત્મસમવતાર, (૨) પરસમવતાર (૩) ઉભયસમવતાર.
આત્મસમવતારની અપેક્ષાએ સર્વદ્રવ્ય આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ રહે છે. પરસમવતાર ની અપેક્ષાએ કુંડામાં બોરની જેમ પરભાવમાં રહે છે. તદુભય સમવતારની અપેક્ષાએ ઘરમાં થાંભલો અને ઘટમાં ગ્રીવાની જેમ પરભાવ તથા આત્મભાવ બંનેમાં રહે છે.
વિવેચન :
સમવતાર એટલે સમાવિષ્ટ થવું, રહેવું. પ્રત્યેક દ્રવ્ય-પદાર્થ ક્યાં રહે છે? તેનો વિચાર નિશ્ચયનય અને વ્યવહારનયથી કરવામાં આવે છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં–આત્મભાવમાં જ રહે છે. નિજસ્વરૂપથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ જ નથી. વ્યવહારનયથી વિચાર કરતાં દ્રવ્ય પરભાવમાં પણ રહે છે. જેમ બોર કંડામાં રહે છે. દેવદત્ત ઘરમાં રહે છે. દ્રવ્ય-પદાર્થનો જે આધાર, તેમાં તે રહે છે, તેમ લોકમાં વ્યવહાર થાય છે. ઉભયરૂપતામાં નિશ્ચય અને વ્યવહારનો યુગપ– એક સાથે વિચાર કરવામાં આવે છે. જે ઘરમાં થાંભલો રહે છે તે આત્મભાવમાં પણ રહે છે અને ઘરમાં પણ રહે છે. તેમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહી, અન્ય દ્રવ્યના આધારે પણ રહે છે.
માત્ર પરભાવ સમવતારનું કોઈ દષ્ટાંત નથી. સૂત્રમાં કુંડામાં બોર'નું જે દષ્ટાંત આવ્યું છે, તે ઉભયરૂપતાનું જ દષ્ટાંત કહેવાય, કારણ કે બોર સ્વસ્વરૂપમાં પણ રહે જ છે. એકલા પરભાવમાં રહેતા કોઈ દ્રવ્ય-પદાર્થ નથી. તેથી પરભાવ સમવતારનું દષ્ટાંત શક્ય નથી. તેથી અહીં આત્મભાવથી અલગ