Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ-પ્રત્યક્ષદ
.
૪ર૭ |
ગુણો ગ્રહણ કર્યા છે. જે દ્રવ્યમાં વર્ણાદિ હોય, તેમાં આકાર પણ હોય જ. વર્ણ અને આકારથી વસ્તુ દેશ્ય બને છે માટે સંસ્થાન–આકારને પણ ગુણ પ્રમાણરૂપે ગ્રહણ કરેલ છે. અહીં આકાર પાંચ બતાવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં દીર્ઘ, હૃસ્વ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, પ્રથુલ–વિસ્તીર્ણ અને પરિમંડલ સંસ્થાન સાત કહ્યા છે. તેમાં તાત્ત્વિક તફાવત નથી. આ પાંચમાં દીર્ઘ અને હુસ્વનો સમાવેશ થઈ જાય છે.
જીવ ગુણ પ્રમાણ :| ९ से किं तं जीवगुणप्पमाणे ?
जीवगुणप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा- णाणगुणप्पमाणे दसणगुणप्पमाणे चरित्तगुणप्पमाणे य । ભાવાર્થ :- પ્રશ્ન- જીવ ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જીવ ગુણ પ્રમાણના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જ્ઞાનગુણ પ્રમાણ, દર્શનગુણ પ્રમાણ અને ચારિત્ર ગુણ પ્રમાણ. १० से किं तं णाणगुणप्पमाणे ?
णाणगुणप्पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे । ભાવાર્થ :- પ્રશ્ન-જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાનગુણ પ્રમાણના ચાર ભેદ છે તે આ પ્રમાણે છે – (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન (૪) આગમ. ११ से किं तं पच्चक्खे ?
पच्चक्खे दुविहे पण्णत्ते, तं जहा- इंदियपच्चक्खे य णोइंदियपच्चक्खे या ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે- ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. १२ से किं तं इंदियपच्चक्खे ?
इंदियपच्चक्खे पंचविहे पण्णत्ते, तं जहा- सोइंदियपच्चक्खे, चक्खुरिंदिय- पच्चक्खे, घाणिंदियपच्चक्खे, जिभिदियपच्चक्खे,