Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
અધ્યાત્મ પંથની યાત્રા
૩૬ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; પણ હોઈ શકે છે (જેને વિદેહમુક્ત અથવા ચૌદમા ગુણસ્થાનવર્તી સિદ્ધ-પરમાત્મા કહે છે. આ પ્રમાણે મોક્ષપદ છે એમ સિદ્ધ કર્યું. " છઠ્ઠ પદઃ તે મોક્ષનો ઉપાય છે.” ઉપર જે “મોક્ષપદનું પ્રતિપાદન કર્યું તે મોક્ષપદને પ્રાપ્ત કરી શકાય છે એમ હવે જણાવે છે.
આ જીવ અનાદિકાળથી પોતાના અજ્ઞાન-અસંયમના ભાવોને આધીન થયો થકો કર્મબંધનાં કારણોને સેવે છે અને તેથી તેને નવો કર્મબંધ થયા જ કરે છે. આ શુભાશુભ કારણોનું વિવરણ પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે કર્યું છે :(૧) મિથ્યાત્વ=ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા. (૨) અવિરતિ અસંયમ. પાંચ ઈન્દ્રિયો અને મનનો નિરોધ ન કરવો
અને પ્રાણીહિંસાથી ન બચવું તે. (૩) પ્રમાદ અસાવધાની, આળસ, ઊંઘ, ધર્મમાં અનાદરબુદ્ધિ. (૪) કષાય ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિભાવભાવો. (૫) યોગ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ.
અહીં, ઉપર કહ્યાં તેવાં બંધ થવાનાં કારણોથી જીવને જે બંધ થાય છે તે જો થયા જ કરે તો જીવ નિબંધ (મોક્ષ) દશાને કેવી રીતે પામી શકે? માટે તે તે બંધનાં કારણોથી વિરુદ્ધ પ્રકારના ભાવો સેવવાથી તે કર્મબંધનો નિરોધ થઈ શકે છે અને ક્રમે કરીને જીવ મોક્ષદશાને પામી શકે છે. તો ક્યા ક્યા ભાવો સેવવાથી કર્મબંધ મંદ પડે, શિથિલ થાય અથવા ક્ષીણ થઈ જાય તે હવે સમજાવે છે.
પ્રથમ ઉપાય જ્ઞાન કહ્યો. સત્સંગ - સદ્ગુરુના યોગે આત્માને આત્મા માનવો અને દેહાદિ પર પદાર્થોને પર માનવા અને તે પર પદાર્થોમાંથી અહબુદ્ધિ-મમત્વબુદ્ધિ ઘટાડી દેવી તેને જ્ઞાન કહેવાય છે. ક્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121