Book Title: Aapviti
Author(s): Dharmanand Kosambi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 275
________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૬૭ * ન રહી. પરંતું ટાગોરે મને કહ્યું, “તમે નાસીપાસ ન થતા; પિત મહારાજાને સારી પેઠે પિછાનું છું. તમે કાલે સવારે સાતને સુમારે મારે ત્યાં આવજો. પંડે તમને મહારાજા પાસે તેડી જઈશ.' તેમના કહેવા મુજબ બીજે દિવસે બાલીગંજમાં આવેલા નંબર 19 સ્ટાર રેડવાળે તેમને ઘેર હું ગયો. સત્યેન્દ્રબાબુ પિતાના રોજના જ પોશાકમાં નીકળ્યા. હું તેમને સારુ ગાડી આણવા જવા તૈયાર થયે, (તેમની ગાડી કાંઈ કામસર તે દિવસે રોકાયેલી હતી, પણ તેમણે ગાડીમાં જવાની ના પાડી. રોજ સવારે માઈલ દેઢ માઈલ ચાલવાની મને ટેવ છે, ચાલ્યા વગર ઠીક જ નથી પડતું.” એમ કહી મારી સાથે પગપાળા જ ચાલ્યા. તે દિવસે મહારાજા સવારના જ ક્યાંક બહાર નીકળી ગયા હતા. એટલે અમારી મુલાકાત ન થઈ પણ શ્રીમંતના ખાનગી મંત્રી શ્રી. (હવે સર) મનુભાઈ મહેતાને ભારે વિષે જે કંઈ કહેવાનું હતું તે કહી સત્યેન્દ્રબાબુ પગે ચાલતા જ પાછા ઘેર ગયા. સત્યેન્દ્રબાબુની આ મહેનત પછી પણ કદાચ શ્રીમંત સયાજીરાવની અને મારી મુલાકાત ન થાત. પણ તેમના જ આશ્રિતોમાંથી એક બે ગૃહસ્થાએ શ્રી. મનુભાઈને વારંવાર યાદ દેવડાવીને બીજે કે ત્રીજે દિવસે મહારાજા સાહેબ જેડે મારી મુલાકાત કરાવી દીધી. મહારાજાને દસ પંદર મિનિટથી વધુ વખત નહોતો. તેથી મને વિદાય કરતા પહેલાં તેમણે કહ્યું, “તમે એક વાર જરૂર વડેદરે આવજે, મારે તમારી જે ખૂબ વાતો કરવી છે. હમણાં તે હું ખૂબ રોકાયેલો છું અને પાંચ મિનિટ પણ કાઢવી મુશ્કેલ છે. Ad Gunratnasurf Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318