Book Title: Aapviti
Author(s): Dharmanand Kosambi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 288
________________ 280 - આપવીતી મારી કેબિનમાંના પેલા જૈન વેપારી સ્ટીમર પરના ખોરાકને બિલકુલ અડતા નહિ. ચા, બિસ્કૂટ કે પાંઉ એટલી જ વસ્તુઓ પર તે રહેતા. બાકી, પિતાને સારુ હળદરનો ભૂકે નાંખીને બનાવેલ અનેક દિવસ રહે એવી ખાખરીઓ, બીજાં મેવામઠાઈ તેમ જ કરી, સંતરાં, મોસંબી વગેરે ફળોના બે ત્રણ કંડિયા તેમની સાથે હતા તે ઉપર તે પોતાનું ચલાવતા. પેલો જૈન વિદ્યાર્થી એટલે ચુસ્ત નહોતો છતાં માંસની સૂગ તેને ચડતી જ. આ ઉપરાંત બીજા એક બાપના અટકવાળા હેલકર મહારાજાના કોઈ જૈન શિક્ષક પણ આ સ્ટીમર પર હતા. તેઓ પણ શાકાહારી હતા. મને પોતાને માછલી ખાવામાં વધે નહોતો; પણ સ્ટીમર પર તે કવચિત જ મળે. આથી જમવાની બાબતમાં અમને ત્રણે જણને ઠીક પડતું. બે ત્રણ દિવસ પછી મુખ્ય બબરચીને કહી અમે દાળભાત મેળવવાની પણ ગોઠવણ કરાવી લીધી. અને પાંઉ, માખણ, ફળ અને દાળભાત, એટલી વસ્તુઓ ઉપર અમારું ખાતું નભતું. સ્ટીમર રાતા સમુદ્રમાં પહોંચી એ અરસામાં મારી સાથે શ્રી. શિંદેવાળે કાગળ શ્રી. બાપના મારફત મેં શ્રીમંત સા. સીતાબાઈને મોકલાવ્યો. વળતે જ દિવસે તેમણે મને મળવા બોલાવ્યો. સ્ટીમર ભૂમધ્ય સમુદ્રમાં દાખલ થઈ તે પહેલાં હું તેમને એક બે વખત મળ્યો. ઘડી ઘડી ફર્સ્ટ કલાસમાં જવું મને પસંદ ન હોવાથી મને ત્યાં જવાનો કંટાળો આવતો. પરંતુ એક દિવસ ભૂમધ્ય સમુદ્રમાં થોડું તોફાન થયું અને તેથી સીતાબાઈ સાહેબ બહુ ગભરાઈ ગયાં. અધૂરામાં પૂરું તેમને કેાઈએ કહ્યું કે બિસ્કેના ઉપસાગરમાં આથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318