Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan
View full book text
________________
૬૦૨ ]
[ આપણા શ્રેષ્ઠીવ ધર્મ તરફની આસ્થા વધુ દઢ બનાવતાં અને તેમાં એક પછી એક વ્રત-જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારથી જીવનબાગ મહેકતે રહે છે તે જેમને જાણવા-સમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસ સ્થાને ઉપરોકત મહાશયને અવશ્ય મળવું જ રહ્યું. ૧૦૬ વર્ષનાં તેમનાં વૃદ્ધ માતુશ્રીને વંદનદર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે. અને કહે છે કે માનવીને
જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચક્કસ સમય અને ચક્કસ તિથિએ જોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે.
૫૦ વર્ષ પહેલાં સામાન્ય સ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહકારથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાં એ જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે.
સાત જેટલા જ પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું. અને પલટાતા પ્રવાહ નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના જ શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું મન ન થાય.
ભયંકર દુર્બસને અને શઠતાની બદબોમાં રાચતે માનવી પણ યોગ્ય સમયે જે ધર્મનું શરણું લે તે કંઈક દિવ્ય કક્ષા સુધી પહોંચી શકે છે. તે ધર્મની આસ્થા જ કરી શકે છે. સંસારમાં કેઈક એવી અજબ ચેતનાશક્તિ પળે પળે આપણું માંગલિક કામમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લહાવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662