Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 632
________________ અભિવાદનગ્રંથ ! [ ૬૨૩ ભાવનગરમાં રહેવા માટે તેઓનું દિલ ઠર્યું. પરદેશમાં આટલે વખત રહેવા છતાં અને અઢળક સંપત્તિ હોવા છતાં એક પણ દુર્ગુણ કે વ્યસન તેઓમાં આવેલ નથી. બિયર તેઓએ ચાખેલ નથી. આફ્રિકા જતી વખતે તેઓના પિતાશ્રીએ નવકાર મંત્રને જાપ કદી ન ભૂલવા આપેલ શિખામણ તેઓ ચુસ્તપણે પાળે છે અને તેનાથી તેઓને ખૂબ માનસિક શાંતિ મળે છે તેમ તેઓ માને છે. ગીતાચેક તેઓના મકાન શાંતિહાઉસની જગ્યામાં જ્યારે દવાખાનું ચલાવવાનો વિચાર તેઓએ કર્યો ત્યારે કેઈકે ટકોર કરેલી કે આટલી જગામાં બગીચો બનાવે તે ફૂલોની મહેક સારી આવશે ત્યારે તેઓએ જણાવેલ કે માનવતાના બગીચાનાં ફૂલેની મહેક વધુ આફ્લાદક હોય છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે લક્ષ્મીના ત્રણ માર્ગ છે. દાન, ભેગ અને નાશ. તેઓ માને છે કે સંપત્તિ તે સાર્વજનિક સમન્નતિનું એક સાધન ગણાય અને આ સંપત્તિ મારફત સમાજના ઉત્થાનનાં કાર્યો કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે તે સાચી સિદ્ધિ ગણાય. ૮૬ વર્ષની વયે તેઓ રેજના ૧૨ ક્લાક કામ કરે છે. કામ કરતાં કરતાં મરી જવાની તેમની ઇચ્છા છે. તેઓ પિતાની જાતને યાચક માની ગરીબની દુવા મેળવવા દાન આપે છે. દુવાથી તેમની શારીરિક તંદુરસ્તી, મનની શાંતિ તથા આત્માનાં સુખ તેમને મળતાં રહે છે એવી તેઓની માન્યતા છે. માનવીના જીવનનું મૂલ્ય તેના પાસે વિલાસ વૈભવનાં, આનંદ-પ્રમોદનાં કેટલાં સાધન છે તેના ઉપરથી નહીં પણ એ માનવીએ સમાજસેવાના ક્ષેત્રે કેવું અને કેટલું પ્રદાન કર્યું તેના ઉપરથી માનવજીવનની મહત્તામાં અંકાયેલું છે. સંપત્તિ કે સદ્ધપગ કર્યો કે કેવી રીતે કરવાની અભિલાષા ધરાવે છે તેના ઉપરથી જ માનવના જીવન સાફલ્યની પારાશીશીને સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ દષ્ટિબિંદુને લક્ષમાં રાખીને જ તેઓ પિતાની બધી પ્રવૃત્તિઓ કરે છે, જેથી તેઓએ મેળવેલ દોલતની સફળતા થઈ શકે. અઢળક સંપત્તિ કમાયા હોવા છતાં તે સંપત્તિના પિતે માલિક નથી પણ ટ્રસ્ટી છે, તેમ દઢપણે માને છે અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662